________________
સત... ભાગ-૨
૨૩)
રામ-લઢમણને
ગયા. ઉત્તમ પ્રકારના મનોરથોના પ્રતાપે શ્રી દશરથ મહારાજાને વિષયો વિષમય લાગવા માંડ્યા. ઉત્તમ ભાવના આત્માને સંસારની કોઈ જ વસ્તુમાં લીન થવા દેતી નથી. ઉત્તમ ભાવનાના યોગે દશરથ
મહારાજા સંસાર ઉપર એવા વૈરાગી બની ગયા કે એમનો આત્મા ૐ એક માત્ર વૈરાગ્યમય જ બની ગયો. આમ વૈરાગ્યદશામાં શ્રી દશરથ મહારાજાએ કેટલોક સમય પસાર કર્યો.
શ્રી ક્લેિશ્વરદેવનાં શાસનની અનુપમ મહેતા વૈરાગ્ય એક એવી વસ્તુ છે કે જે અનેક નિમિત્તોથી ઉત્પન્ન થઈ શકે છે. કોઈપણ નિમિત્ત પામીને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ તો ઉપાદેય જ છે. વૈરાગ્યની ઉપાદેયતામાં બે મત છે જ નહિ. કોઈપણ પ્રકારે આત્માને સંસારની દુઃખમયતા ભાસવી જોઈએ. સંસારની અસારતાના દર્શનથી, સંસારની અસ્થિરતાના દર્શનથી, સંસારની અનિત્યતાના દર્શનથી કે સંસારની અશરણતાના દર્શનથી અર્થાત્ કોઈપણ પ્રકારે સંસારની હેયતા ત્યાજ્યતા આત્માને સમજાય એ પ્રભુશાસનને ઈષ્ટ છે. ભવની નિર્ગુણતા જોનાર મિથ્યાત્વષ્ટિમાં પણ વૈરાગ્યના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારે સંસાર ઉપરથી અરુચિ એનું નામ વૈરાગ્ય. સંસાર ઉપર અરૂચિ થવાના યોગે સંસારથી તારનાર જ્ઞાનીઓની આજ્ઞા મુજબ મુક્તિની સાધના માટે સજ્જ થવાની ભાવના એ જ એ વૈરાગ્યનો હેતુ છે. એવું ફળ આણનાર વૈરાગ્યની
અવગણના કયો ઉત્તમ આત્મા કરી શકે તેમ છે. છે એક સામાન્ય નિમિત્તને પામીને પણ પ્રભુમાર્ગના પ્રેમી તી. આત્માઓનું અંતઃકરણ વૈરાગ્યથી વાસિત થઈ જાય છે,એ વાતને
આ પ્રસંગ સારામાં સારી રીતે સમજાવે છે. નોકરના શરીરની
ક્ષીણતા જોવાથી સુખસંપત્તિમાં મહાલતા સ્વામિને વૈરાગ્ય થાય એ 3 પ્રભુશાસનની અનુપમ મહત્તા સૂચવે છે. પ્રભુશાસનને પામેલા