________________
DIET G
OID ]
દશરથ મહારાજા કંચુકીને જોઈને વૈરાગ્ય પામ્યા છે આ રીતે પોતાનો અપરાધ નથી પણ પોતાના વૃદ્ધપણાનો જ હારિત છે અપરાધ છે. એમ જણાવીને કંચુકીએ જ્યારે પોતાને જોવા જણાવ્યું ત્યારે શ્રી દશરથ મહારાજાએ પણ તેની સામે જોયું.
ખરેખર ! આ કહે છે તેમજ છે. કારણકે તેના શરીર ઉપર વૃદ્ધાવસ્થાએ કારમો હુમલો કર્યો હતો. વૃદ્ધાવસ્થાને અંગે તે ઘણો જ દયાજનક દેખાતો હતો. વૃદ્ધાવસ્થાને અંગે તે કંચુકી જાણે મરવાને ઈચ્છતો હોય તેમ પગલે-પગલે સ્કૂલના પામતો દેખાતો હતો, તેના મુખમાં જે દંતો હતા તે ઘંટની અંદર રહેલા લોલકની જેમ ચપળ હતા. તેના આખાએ શરીરની ચામડી એવી વળી ગયેલી હતી કે તે વળીઓનું ભાજન જ થઈ પડ્યો હતો. એના આખાએ અંગની રોમરાજી શ્વેત બની ગઈ હતી. ભ્રકુટીના લોમથી તેના નેત્રો તદ્દન ઢંકાઈ ગયેલા હતા. તેના શરીરમાંનું માંસ અને લોહી સૂકાઈ ગયેલું હતું અને તેના આખાએ અંગમાં ભારેમાં ભારે કંપ ઉત્પન્ન થઈ ગયો હતો. અર્થાત્ તેનું આખુંએ અંગ કાયમ કંપ્યા કરતું હતું.
આવી સ્થિતિમાં આવી પડેલા પોતાના કંચુકીને જોઈને શ્રી દશરથ મહારાજાએ પોતાના અંત:કરણમાં ચિંતવ્યું કે,
यावत् वयं दृशा न स्मः तावत् ।
हि वयं चतुर्थपुरुषार्थाय प्रयतामहे । જ્યાં સુધીમાં અમે પણ આ કંચકીના જેવી દશામાં ન આવી જઈએ ત્યાં સુધીમાં અમે, ચોથો પુરુષાર્થ જે મોક્ષ તેની આરાધના માટે પ્રયત્નશીલ બનીએ.
આવી ઉત્તમ વિચારણાના પ્રતાપે શ્રી દશરથ મહારાજા, પ્રતિ સમય એક જ પ્રકારના મનોરથોમાં મગ્ન રહેવા લાગ્યા. અને તે મનોરથો એ જ કે, કારમી વૃદ્ધાવસ્થાના પાશમાં સપડાઈ જઈએ તે છે પહેલા અમારે મોક્ષની આરાધના કરી જ લેવી જોઈએ. આવા મનોરથોના યોગે શ્રી દશરથ મહારાજા વિષયોથી પરામ્ખ બની
સુખ દુઃખની ઘટમાળ છે
અને વિરાટ શ્રી દશરથ....૧૦