________________
નહીં મૂકવાનો તે નહિ જ મૂકવાનો. એ પ્રતાપ રાણાને એવાઓ ? આજે માને છે કે ગાળો દે છે ? કહેવું જ પડશે કે ઈતિહાસમાં પણ છે. એવાના ગૌરવ જ ગવાય છે. એ વખતે ધર્મને ત્યજી બાદશાહને આધીન થનારાઓને દેશદ્રોહીના અને ધર્મદ્રોહીના ચાંદ પણ મળ્યા છે છે. રાજા માનસિંહને માટે આજે પણ શું બોલાય છે ? એ રીતે અહીં પણ ધર્મના ઉદયની આડે આવે તે ધર્મદ્રોહી જ કહેવાય એમાં પ્રશ્ન જ શો?
સભા: સ્વરાજ્ય મળે તો ધર્મ સધાય ને?
પૂજ્યશ્રી શું ધર્મની પણ ખાણ સ્વરાજ્ય છે ? શું અમેરિકામાં સ્વરાજ્ય છે ત્યાં ધર્મ છે ? શું ધર્મ એ રાજ્ય, લક્ષ્મી,
સ્ત્રી પુત્ર અને પરિવારાદિમાં છે ? માનતા જ નહિ, કારણકે ધર્મ તો આત્માને જગાડનારી ચીજ છે. અને રાજ્યાદિ તો આત્માને દબાવનારી વસ્તુ છે. માટે રાજ્યાદિકથી ધર્મ મળે એમ માનતા જ નહિ મોહ ન જ છૂટતો હોય તો ધર્મ રાખીને જે ચીજ મળે તે લેવામાં તમે જાણો. પણ ધર્મ ગુમાવીને તો કંઈએ મેળવવાનું ન જ હોય. ધર્મ ગયો તો બધું જ ગયું સમજો. જો રાજ્યથી જ ધર્મ થતો હોત તો તો રાજા બધાએ ધર્માત્મા જ હોત અને આજે રાજાઓ સામે આટલો ઘોઘાટ છે તે ન હોત. પણ છે એ જ સૂચવે છે કે ધર્મવ્યવહાર અને રાજ્યાદિ વ્યવહાર એ જુદી ચીજ છે.
જણાવી ગયા તે પ્રમાણે પુત્રને આશ્વાસન આપ્યા પછી તરત ચંદ્રગતિ રાજાએ, ચપલગતિ નામના વિદ્યાધર દ્વારા શ્રી જનકરાજાનું અપહરણ કરાવીને પોતાની પાસે લાવ્યા અને તેમની પાસે બળાત્કારથી પ્રતિજ્ઞા ગ્રહણ કરાવી કે આ બે ધનુષ્યો પૈકીના કોઈ પણ એક ધનુષ્યને ચઢાવીને શ્રી રામચંદ્રજી અમને હરાવે અને 2. તે પછી ખુશીથી સીતાનું પાણિગ્રહણ કરે પણ તે પૂર્વે તો નહિ.
એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરાવ્યા પછી જ ચંદ્રગતિરાજા, પોતાના પુત્ર ભામંડલની સાથે જનકરાજાને અને બન્ને ધનુષ્યોને લઈને મિથિલાનગરીમાં આવ્યા. મિથિલાનગરીમાં આવીને તે રાજાએ શ્રી જનકરાજાને તેમના પોતાના પ્રાસાદમાં મૂક્યા અને પોતે નગરીની બહારની ભૂમિમાં પોતાના પરિવારની સાથે નિવાસ કર્યો.
કુલજ વાર
, બદલી ઝળકી ઉઠે છે...૯