________________
IDT
આજ્ઞા મુજબ ચાલગતિ નામના વિદ્યાધરે કોઈ ન જાણી શકે છે એવી જ રીતે રાતના જઈ શ્રી જનકરાજાને હરી લાવીને ચંદ્રગતિ રતિ રાજાને અર્પણ કર્યા. રથનૂપુરના રાજા ચંદ્રગતિએ શ્રી જનકરાજાને શું બંધુની જેમ સ્નેહથી આલિંગન કરવાપૂર્વક બેસાડ્યા અને સ્નેહથી કહયું કે, આપની પુત્રી લોકોત્તર ગુણોવાળી છે, અને મારો પુત્ર શ્રી હું ભામંડલ પણ રૂપની સંપત્તિથી પરિપૂર્ણ છે. હાલમાં એ વધૂવરાણાએ કરીને સંયોગ પણ ઉચિત છે અને એ સંબંધથી આપણા બેની વચ્ચે પરસ્પર ઉત્તમ પ્રકારનું સૌહાર્દ થાઓ.’
ચંદ્રગતિના આ કથનની સામે શ્રી જનક મહારાજાએ કહ્યું, મેં મારી પુત્રી સીતા શ્રી રામચંદ્રજીને આપી છે, એટલે હવે હું અન્યને શી રીતે આપું ? કારણકે કન્યાઓ અનેકવાર નથી અપાતી પણ એક જ વાર અપાય છે.
શ્રી જનક મહારાજાના આવા પ્રકારના કથનની સામે ચંદ્રગતિએ કહયું કે, સ્નેહની વૃદ્ધિને માટે મેં આપને અહીં તેડાવ્યા છે. અને આ રીતની યાચના આપની પાસે કરી છે, બાકી તો હું આપને અને સીતાને હરવાને પણ સમર્થ છું. જો કે આપે આપની ઓર દીકરી સીતા શ્રી રામચંદ્રજીને આપી છે, તો પણ રામ અમારો પરાજય કરીને તેને પરણશે. અમારા ઘરમાં ગોત્ર દેવતાની જેમ હંમેશાં ૧-શ્રી વજાવર્ત અને ૨- અર્ણવાવર્ત નામનાં બે ધનુષ્યો સાય દેવતાની આજ્ઞાથી પૂજાય છે. એ બે ધનુષ્યો હજાર યક્ષોથી અધિષ્ઠિત છે. દુઃસહ તેજને ધરનારાં છે. અને ભવિષ્યમાં થનારાં બળદેવ અને વાસુદેવને ઉપયોગી થવાનાં છે. તો એ બે ધનુષ્યોને આપ ગ્રહણ કરો. આ બે ધનુષ્યોમાંથી એક પણ ધનુષ્ય જો શ્રી રામચંદ્રજી ચઢાવશે તો અમે જીતાઈ ગયા એમ માનશું. તે પછી શ્રી રામચંદ્રજી આપની પુત્રીને ખુશીથી પરણે એમાં અમને કશી જ હરકત નથી.”
આ પ્રમાણે કહીને ચંદ્રગતિ રાજાએ શ્રી જનક મહારાજની ઈચ્છા નહિ હોવા છતાં પણ બળાત્કારે તેમ કરવાની પ્રતિજ્ઞા તેમની પાસે ગ્રહણ કરાવી. તે પછી તે રાજા પોતાના પુત્રની સાથે શ્રી જનકરાજાને અને તે બંન્નેય બાણોને મિથિલાનગરીમાં લઈ ગયા.
ફૂલોન ઘરિવારની
બદદા
ઝળકી ઉઠે છે...૯