________________
I કુલીન પરિવારોની ખાનદાની ઝળકી ઉઠે છે.)
પત્રનું અપહરણ થયું એમ જાણતાંની સાથે ઉજનક મહારાજાએ દરેકે દરેક દિશામાં માણસોને મોકલીને તે બાળકની શોધ કરાવી. ઘણો સમય શોધ કરાવી તે છતાં પણ તે બાળકના સમાચાર કોઈ પણ સ્થળેથી જનક મહારાજા મેળવી શક્યા નહિ.
અનેક પ્રકારે શોધ કરાવવા છતાં પણ જ્યારે પત્તો ન જ લાગ્યો ત્યારે જનકમહારાજાએ આ પુત્રીમાં અનેક ગુણોરૂપી સભ્યોના પ્રરોહો છે એ પ્રમાણે માનીને યુગલપણે ઉત્પન્ન થયેલી પોતાની દીકરીનું નામ સીતા પાડ્યું અને એ પછી જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ તેઓનો શોક મંદ થયો. કારણકે એમાં રાચીમાચીને રહેલા આત્માઓને કદી શોક તો કદી હર્ષ એમ ચાલ્યા જ કરે છે એ ઢંઢની ઉપાધિથી જો બચવું જ હોય તો સંસારની આસક્તિ ત્યજીને મોક્ષમાર્ગના ઉપાસક બનવું જ જોઈએ. કારણકે એ સિવાય શાશ્વત સુખનો અન્ય કોઈ ઉપાય જ નથી.
સીતાજીની વૃદ્ધિ અને જનકરાજાનો શોક ઉત્તમ માતા અને પિતાના સહવાસથી ઉછળતી સીતા, રૂપ અને લાવણ્યની સંપદા સાથે વૃદ્ધિ પામવા લાગી. વૃદ્ધિ પામતી તે ધીમે-ધીમે ચંદ્રલેખાની જેમ કલાપૂર્ણ બની ગઈ. પવિત્ર લાવણ્યરૂપી લહરીઓથી નદી જેવી અને કમળ જેવાં નેત્રોવાળી તે ક્રમે કરીને
કલીન ઘરિવારના 8 ખાનદાની ઝળકી ઉઠે છે...૯