________________
કુલીન પરિવારોની
ખાનદાની ઝળકી ઉઠે છે.
ચન્દ્રગતિ વિદ્યાધરને ત્યાં ભા એટલે તેજના મંડળ વચ્ચે પહોંચેલા બાળકને ભામંડલ નામ મળ્યું. રાજા જનકપુત્ર વિરહથી ખૂબ દુઃખી થયાં, છેવટે દિકરીને ગુણરુપી ધાન્યના અનેક પ્રરોહ જેવી માની તેનું નામ સીતા પાડ્યું.
રૂપ અને ગુણથી અસમાન સીતાને માટે રાજા જનક વરની ચિતાથી ગ્રસ્ત થયા. એટલામાં મ્લેચ્છોનો ઉપદ્રવ થવાથી દશરથ રાજાની સહાય ઇચ્છી, શ્રી રામચન્દ્રજી પિતાજીને વિનવીને સહાયમાં આવ્યાં. એ દરમ્યાનમાં સીતાથી પોતાનું અપમાન માની નારદજીએ તેને સજા કરવાના ઇરાદાથી તેનો ચિત્રપટ ભામંડલને બતાવ્યો, ભામંડલ કામપીડિત બન્યો, પણ આવી વાત વડીલોને કહેવાય શી રીતે ? કુલીન પરિવારોની આ ખાનદાની છે ને ? છેવટે ચન્દ્રગતિએ જનકરાજાનું અપહરણ કરાવી તેમને પ્રતિજ્ઞાબદ્ધ બનાવ્યાં. જેથી રાજા જનક અને વિદેહા ફરી શોકગ્રસ્ત બન્યાં, આ પ્રસંગો આ પ્રકરણમાં
આપણે જોવાનાં છે.
-શી છે
૧૯૯