________________
છે ?
=
પ્રત્યે પ્રચંડ નથી બની શકતા અને સ્વ પર આદિ પ્રત્યે સમાન પણ નથી વર્તી શકતા. તે રાજાઓ કદી ચંદ્ર આદિની ઉપમાઓ નથી પામી શકતા.
માટે જ સાચી નામાંકિતતાના અર્થી રાજાઓએ (૧) ઉત્તમ આત્માઓ પ્રત્યે આફ્લાદક બનવા માટે સ્વયં અહિંસા આદિ ઉત્તમ ધર્મના ઉપાસક પોષક અને પ્રચારક બનવું જોઈએ. (૨) અધમ આત્માઓ પ્રત્યે પ્રચંડ બનવા માટે સ્વયં હિંસા આદિ અધમ પ્રવૃત્તિના કટ્ટરવેરી બનીને તેના ઉચ્છેદ માટે સદાય પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. (૩) સુમેરૂની જેમ શોભાન્વિત થવા માટે સ્વપરના પક્ષપાત વિના પૂરેપૂરા પ્રમાણિક બનવું જોઈએ.
આ ત્રણે ઉપાયો એવા અનુપમ છે કે એનું સેવન કરનારા રાજાઓ વિના પ્રયત્ન પોતાની પ્રજામાં નામાંકિત બનવા સાથે અન્યત્ર પણ નામાંકિત થાય છે. અને એવા રાજાઓના નામો શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પણ સુવર્ણાક્ષરે આલેખાય છે.
અનુપમ રાજનીતિને ધરનારા રાજાઓ આવા પુણ્યનામધેય મહારાજાઓ સ્વયં લોભથી રહિત હોવાને કારણે કોઈની પણ સાથે રાજ્યલિપ્સાથી યુદ્ધમાં ઉતરતા નથી. અને એથી એવા અનુપમ રાજનીતિને ધરનારા રાજાઓનો પ્રતાપ જ એવો હોય છે કે પ્રતાપના તાપથી જ એવા રાજાની પ્રજાને પરચક્ર એટલે કે પ્રતિપક્ષી રાજાઓના હુમલા આદિથી ઉત્પન્ન થતાં ઉપદ્રવોનું દર્શન નથી કરવું પડતું, જે રાજાઓ રાજ્યલિપ્સાથી પર - હોય છે. તેવા રાજાઓના દુશમન પ્રાય: હોતા નથી. આવા રાજાઓમાં અનાયાસે જ પ્રજાપાલકતાદિ ગુણોનો આર્વિભાવ થઈ જાય છે. પ્રજાપાલક રાજા અર્થીઓ પ્રત્યે ઉદાર હોય એમાં કશું જ આશ્ચર્ય નથી. અને એ જ કારણે અનેક રાજગુણોના પ્રતાપે પ્રજાપાલક આદિ ગુણોથી સુવિશિષ્ટ બનેલા શ્રી દશરથ મહારાજાની ઉઘરતાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીમહારાજાએ એ મહારાજાની સાચી એટલે કે અર્થસંપન્ન ઉપમાનું સ્મરણ કરાવતાં તે મહારાજાને અગ્યારમા કલ્પતરૂ તરીકે ઓળખાવ્યાં. પછી મઘાંગ આદિ દશે પ્રકારના કલ્પતરૂઓ, મધ આદિ
શ્રાવકo માય મનોરથ..૬