________________
(સત... ભાગ-૨
રામ-લઢમણને
રાજાઓનો રાજધર્મ એ જ છે કે રાજ્યના માલિક બનવા છતાં પણ પોતાની પ્રજાનું હિત સાચવવા સાથે પોતાનું આત્મહિત પણ કદી જ ન ચૂકવું. આવા અનુપમ રાજધર્મનું અખંડિત પાલન કરનાર પુણ્યશાળી રાજા મહારાજાઓ પોતાનું અને પ્રજાનું એમ ઊભયનું શ્રેય સાધી શકે છે. આવા રાજાઓનું હદય સદાય સંસારત્યાગની ભાવનાથી ભરેલું હોય છે. આવા રાજાઓ જીવનભર રાજા તરીકે પ્રાય: કદી જ નથી રહેતા. ઘોર અવિરતિના ઉદયથી
કાચ એવા રાજાઓને સંસારમાં રહેવું પડે એ વાત જુદી છે, પણ ૧૪. હૃદયપૂર્વક એવા રાજાઓ સમગ્ર જીવન પ્રાય: કદ જ રાજ્યાવસ્થામાં
પસાર નથી કરતા. એવા રાજાઓની રાજદશા પણ અનુપમ હોય છે. રાજદશામાં રહેલાં પણ એવા રાજાઓ ત્રાસરૂપ નથી નીવડતા. એવા રાજાઓ મોટેભાગે ધર્મપ્રચારનું જ કાર્ય કરનારા હોય છે. એવા રાજાઓની રાજ્યસત્તા ધર્મનાશક નથી નીવડતી, એટલું જ નહિ પણ ધર્મની પોષક અને પ્રચારક નીવડે છે. એવા રાજાઓ રાજસત્તાની મદે નથી ચડતા એટલે સ્વયં ધર્મ રક્ત બનવા સાથે પ્રજાને પણ ધર્મમાર્ગની મુસાફર બનાવે છે.
નામાંકિત બનવાના ઉપાયો શ્રી દશરથ મહારાજા કેવા નામાંકિત થયા હતા ? એ તો આપણને એક જ શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું. શ્રી દશરથ મહારાજાની નામાંકિતતા વર્ણવવા તેમને ચંદ્રમાં, સૂર્ય અને સુમેરૂની ઉપમા આપવામાં આવી. એટલે કે અન્ય રાજાઓ જ્યારે નક્ષત્ર જેવા હતા ત્યારે શ્રી દશરથ મહારાજા ચંદ્ર જેવા હતા. અન્ય રાજાઓ જ્યારે ગ્રહો જેવા હતા ત્યારે શ્રી દશરથ મહારાજા સૂર્ય જેવા હતા. અન્ય રાજાઓ જ્યારે પર્વત જેવા હતા ત્યારે શ્રી દશરથ મહારાજા સુમેરુ જેવા હતા. ચંદ્ર જેવા બનવા માટે ઉત્તમ આત્માઓએ આફ્લાદક બનવું જોઈએ. સૂર્ય જેવા બનવા માટે અધમ આત્માઓ
પ્રત્યે પ્રચંડ બનવું જોઈએ અને સુમેરૂ જેવા બનવા માટે સ્વ અને પર હું શત્રુ અને મિત્ર વગેરે પ્રત્યે સમવર્તનવાળા બનવું જોઈએ. જે 8 રાજાઓ ઉત્તમ આત્માઓ પ્રત્યે આસ્લાદક નથી બની શકતા અધમ
CALE-ECI ગામ