________________
(IST
શ્રી રાવણ સાથેના એ યુદ્ધમાં શ્રી અનરણ્ય મહારાજાના મિત્ર શ્રી છે સહસ્ત્રકિરણ રાજા રાવણ દ્વારા જીતાયા. જીતાઈ જવાના પરિણામે શ્રી , સહસ્ત્રકિરણ મહારાજાના અંતઃકરણમાં આ અસાર સંસાર ઉપર વૈરાગ્ય T જમ્યો અને જન્મ પામેલા એ ઉત્કટ વૈરાગ્યના પ્રતાપે, પધારેલા પિતામુનિ પાસે ત્યાં ને ત્યાં જ શ્રીસહસ્ત્રકિરણ મહારાજાએ ધક્ષાનો સ્વીકાર કર્યો. શ્રી સહસ્ત્રકિરણ મહારાજાની સાથે મૈત્રીથી શ્રી અનરણ્ય મહારાજા પણ દીક્ષા લેવા માટે સજ્જ થયા. દીક્ષા લેવા માટે સજ્જ થયેલા શ્રી અનરણ્ય ) મહારાજાએ પોતાના પુત્ર શ્રી અનંતરથને રાજ્ય લેવાનું કહાં, પણ શ્રી અનંતરથે રાજ્ય લેવાનો ઈન્કાર કરીને પોતાના પિતાશ્રીને કહાં, કે હું તો આપ પૂજ્યની સાથે ઘક્ષા લેવાને જ ઈચ્છું છું.' આ કારણથી શ્રી અનરણ્ય મહારાજાએ પોતાના લઘુપુત્ર શ્રી દશરથ કે જેની ઉંમર તે સમયે માત્ર એક મહિનાની જ હતી. તેના ઉપર રાજ્યલક્ષ્મીનું સ્થાપન કરીને એટલે કે એક મહિનાના બાળકને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને પોતાના મોટાપુત્ર શ્રી અનંતરથની સાથે દીક્ષાનો સ્વીકાર કર્યો.”
વિચારો કે ઉત્કટ વૈરાગ્યવાન્ આત્માઓની દશા સંસાર ઉપર કેવા પ્રકારની હોય છે ? સંસારની વ્યવસ્થા વગેરેમાં તેવા પુણ્યાત્માઓ એવા રક્ત નથી જ બનતા, કે જેના પરિણામે પોતાની આત્મસાધનાનું કાર્ય વિપ્નમાં પડી જાય. પોતાનું આત્મસાધનાનું કાર્ય વિધ્યમાં પડી જાય એની કાળજી જો ન હોત તો શ્રી અનરણ્ય મહારાજા, એક મહિનાની જ ઉંમરના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને ન જ ચાલી નીકળત. ખરેખર ઉત્કટ વૈરાગ્યને પામેલા પુણ્યાત્માઓની દશા કલ્યાણના અર્થી આત્માઓએ ખૂબ ખૂબ વિચારવા જેવી હોય છે અને યથાશક્તિ અનુકરણીય પણ હોય છે જ.
શ્રી અનરણ્ય રાજષિનું મોક્ષગમન શ્રી અનરણ્ય મહારાજા, મહારાજ મટી મિત્રરાજાની દીક્ષાના સમાચારની સાથે જ રાજર્ષિ બન્યા. એક વિશાલ રાજ્યઋદ્ધિનો એક ક્ષણમાં ત્યાગ કરનારા મહારાજાઓ, રાજર્ષિ બન્યા પછી પોતે એક મોટા રાજા હતા એ વાતને સ્મરણમાં નથી આવવા દેતા અને એવી દશાના પ્રતાપે તેઓ એવા પ્રકારના આરાધક બને છે કે હરકોઈ આરાધક આત્મા માટે આદર્શરૂપ નીવડે. એવી આદર્શરૂપ આરાધનાના પ્રતાપે એ પુણ્યાત્માઓ ઘણા જ અલ્પ સમયમાં દુર્લભ મનુષ્ય જીવનના સાધ્યને સાધી લે છે અને સાધ્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી તેની સાધનામાં સદાય સુસજ્જ રહે છે. આ વસ્તુ આ બંનેય પિતા-પુત્ર મુનિની
શ્રાવક
છે માય મનોરથ...૬