________________
સતત. ભાગ-૨
રિમ-લહમણો
પદ્ધષિયાતાર્થ, મંત્રપ ન પુનરુwઢોવડત ? तहागातिहरं, पुनरुक्तमढुष्टमर्थपदम् ।।१।। वृत्यर्थ कर्म यथा, तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवार्ता-हेतुरपि पुनः पुनश्चिन्त्यः ॥२॥
(પ્રશમરતિ : ગાથા ૧૩-૧૫) જેમ વિષના ઘાત માટે એકનું એક મંત્રાક્ષનું પદ પુન:-પુન: બોલવામાં આવે તે છતાં પણ પુનરુક્તિનો દોષ નથી લાગતો. તેમ રાગરૂપ પીડાને હણનાર એકનું એક અર્થપદ પુન:પુન: કહેવામાં આવે તે છતાં પણ તે દોષરૂપ નથી, તેમજ જેવી રીતે લોક આજીવિકા માટે તેનું તે જ કર્મ ફરી-ફરીને કર્યા કરે છે, તેવી રીતે વિરાગની વાર્તાનો હેતુ પણ પુન:-પૂન ચિંતવવો એ યોગ્ય છે.
- આ ઉપરથી એ વસ્તુ તદ્દન સ્પષ્ટ છે કે ઉપદેશમાં એક વસ્તુ
બીજીવાર કહેવાય એમાં દોષ નથી કારણકે એમાં તો એક જ આશય હું છે કે શ્રોતા કોઈપણ પ્રકારે વૈરાગ્ય પામે એ કારણે શ્રોતા વૈરાગ્ય
પામે એ હેતુથી એકની એક વૈરાગ્યજનક વસ્તુ અનેકવાર કહેવામાં કોઈ ઘેષ નથી. વિષનો ઘાત કરવા માટે એકનું એક મંત્રપદ જેમ પુનઃ પુનઃ વારંવાર બોલાય છે. આજીવિકા માટે એકનું એક જ કાર્ય જેમ લોક પુન: પુન: આચરે છે અને રોગના નાશ માટે એકનું એક ઔષધ પણ જેમ પુનઃ પુન: લેવાય છે, તેમ એકની એક વૈરાગ્યજનક વાર્તા પુનઃ પુનઃ કહેવામાં કશી જ હરકત નથી.
આપણે જાણીએ છીએ કે શ્રી સહસ્ત્રકિરણ રાજા પોતાના એક હજારના સંખ્યાવાળા અંત:પુરની સાથે જે નદીમાં જળક્રીડા કરતાં હતા, તે જ નદીના કિનારા ઉપર યુદ્ધ માટે નીકળેલા શ્રી રાવણ શ્રી વીતરાગ પરમાત્માની પૂજા કરવા બિરાજ્યા હતા. શ્રી સહસ્ત્રકિરણ રાજાની જળક્રીડાથી નદીમાં પૂર ચઢ્યું એ પૂરના
પરિણામે શ્રીરાવણની જિનપૂજા મલિન થઈ, પરિણામે ઉભયની આજે વચમાં પરસ્પર યુદ્ધ થયું.
इतोऽनरण्यस्य सुहृत्, सहसकिरणो नृपः । रावणेन जितो युद्धे, वैराग्याद् व्रतमाढढे ११॥ तत्सख्याढनरण्योऽपि, श्रियं न्यस्य लयौ सुते । मासजातेऽनंतरथ, सहितो व्रतमाढढे ॥२॥