________________
કંડરીકની દુર્દશા અને નરકગમન
જ્યારે શ્રી પુંડરીક મહારાજાએ, એક ક્ષણવારમાં રાજ્ય સમર્પીને અને સાધુલિંગનો સ્વીકાર કરીને ‘દીક્ષાનો સ્વીકાર કર્યા વિના ભોજન પણ ન લઉં' આવો નિશ્ચય કરીને ગુરુદેવના પાદકમળથી પાવિત થયેલી દિશા તરફ પ્રયાણ કર્યું. ત્યારે પતિત થયેલા ‘અદૃષ્ટ કલ્યાણ' જેવા બનેલા અને અતિશય ગૃદ્ધિને ધરતા ‘કંડરીકે' તે જ દિવસે ઘણું જ ભોજન કર્યું. અતિ રસમય એવું તે ભોજન ખૂબ-ખૂબ ખાવાથી મંદ અગ્નિવાળા કંડરીકને પચ્યું નહિ અને નહિ પાચન થતા એવા તે ભોજને તેને અતિશય ભયંકર વેદના કરી, સુખની ખાતર સંયમને તજી સામ્રાજ્યને સ્વીકારનાર કંડરીક સુખ પામવાને બદલે ભયંકર વેદનાનો ભોક્તા બન્યો.
રસનાની આધીનતાના પ્રતાપે પતિત થયેલ અને સુખની ઇચ્છાથી ભાનભૂલો બની ખૂબ-ખૂબ ખાનાર કંડરીક ભયંકર રીતે રીબાવા લાગ્યો. તે છતાં પણ ‘આ પાપી છે.' એવા પ્રકારના વિચારથી નીરાગી બની ગયેલા મંત્રી આદિએ તેની ઉપેક્ષા કરી, મંત્રી આદિની ઉપેક્ષાથી કોઈપણ પ્રકારના ઉપચાર નહિ થઈ શક્યા. અને એના પરિણામે પીડારૂપ નદીના પુરમાં તણાતા કંડરીકે ચિંતવ્યું કે, सम्प्राप्तव्यसनं नाथ-मुपेक्षन्तेऽत्र ये जहाः । विपक्षेभ्यो ऽतिरिच्यन्ते, सेवका अपि ते ध्रुवम् ततोऽहं यदि जीवामि, तदोपेक्षाविधायिनः । સપુત્રપૌત્રાન્ મજ્ગ્યાહીત્ યાતયામ્યવિનાનવિ ૨
“જે જડ સેવકો, દુ:ખને સંપ્રાપ્ત થયેલા પોતાના સ્વામીની ઉપેક્ષા કરે છે, તે સેવકો હોવા છતાં પણ દુશ્મનો કરતાંય ઘણા ભયંકર છે. એ વાત નિશ્ચિત છે. તે કારણથી જો હું જીવું તો ઉપેક્ષા કરનારા સઘળાં પણ મંત્રી આદિને તેમના પુત્રોને પૌત્રો સાથે મારી નાખું.”
આ પ્રમાણે ક્રૂર કંડરીકે, તબ્દુલીઆ મત્સ્યની જેમ ભયંકરમાં ભયંકર દુર્ધ્યાન કર્યું અને એ દુર્ધ્યાનના પરિણામે ભૂંડ જેમ વિષ્ટામાં મૂર્છિત હોય તેમ રાજ્યાદિમાં મૂછિત બનેલો કંડરીક નરકના ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરીને મરણ પામ્યો અને સાતમી નરકમાં તેત્રીસ
ܐܐ
હૈ ! રસના
૧૧૧
તારા થાયૈ...પ