________________
2 સીતા... ભાગ-૨
રિમ-લક્ષમણને
प्राज्यं साम्राज्यमृत्सृज्य, को वा वांछति नि:स्वताम् । को वा मुक्त्वा व्रतं भोगान्, कांक्षति क्षणभंगुरान् ।। सत्यप्येवं यदि स्यात्ते, भोगेच्छा तर्हि कथ्यताम् ।।
ત્યનુદ્યત વસ્તુ, પ્રાર્થનામન્તરા હૈ : ?
સ્વર્ગ છોડી નરકનો આશ્રય કોણ કરે ? દેવમણિને ત્યજી કાચના ટુકડાનો સ્વીકાર કોણ કરે ? ઉત્તમ સામ્રાજ્યનો ત્યાગ કરીને દરિદ્રતાને કોણ વાંછે ? વ્રતને મૂકીને ક્ષણભંગુર એવા ભોગોને કોણ ઈચ્છે ? અર્થાત્ વ્રતને
મૂકી ક્ષણવિનાશી ભોગોની ઈચ્છા એ સ્વર્ગને છોડીને નરકનો આશ્રય કરવા ૧૧૦
જેવું છે. દેવમણિને તજી કાચના ટુકડાનો સ્વીકાર કરવા જેવું છે. અને પ્રાજ્ય સામ્રાજ્યનો પરિત્યાગ કરીને દરિદ્રતા ઇચ્છવા જેવું છે. એટલે કોઈ પણ વિચક્ષણ આત્મા વ્રતને મૂકી ક્ષણવિનાશી ભોગોને ન જ ઇચ્છે. આમ છતાંયે જો તમને ભોગોની ઈચ્છા હોય તો પણ કહી દો, કારણકે અનુચિત વસ્તુને પ્રાર્થના વિના કોણ આપે.”
શ્રી પુંડરીક મહારાજાએ આવી સુંદર અને અનુપમ રીતે સમજાવ્યા તે છતાં પણ નિર્લજ્જ બનીને કંડરીક મુનિએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે,
“મોઢવાચ્છા મમસ્ત ”
મને ભોગોની વાંચ્છા છે.” આ કથનથી શ્રી પુંડરીક મહારાજાએ પાપનો ભાર જેમ સમર્પો તેમ તે શ્રી કંડરીકને પોતાનું રાજ્ય સમપ્યું અને પોતે,
लोचं कृत्वा चतुर्यामं, धर्मं च प्रतिपद्य सः । कण्डरीकात् साधुलिंग, सुखपिण्डभिवाढढे ॥ गुरुप्रान्ते परिव्रज्य, भोक्ष्येऽहमिति निश्चयी । सोऽचालीद् दिशमुद्दिश्य, तत्पादाम्भोजपाविताम् ॥
લોચ કરી અને ચાતુર્યામ ધર્મને (ચાર મહાવ્રતને) અંગીકાર કરીને જેમ સુખનો પિંડ ગ્રહણ કરે તેમ કંડરીકની પાસે રહેલું સાધુનું લિંગ ગ્રહણ કરી ૧ લીધું. ગુરુદેવની પાસે પરિવ્રજ્યા દીક્ષા અંગીકાર કર્યા બાદ હું ભોજન કરીશ.
આ પ્રકારના નિશ્ચય કરનારા શ્રી પુંડરીક મહર્ષિ ગુરુદેવના પદકમળથી હુ પવિત્ર થયેલી દિશાને ઉદ્દેશીને ચાલ્યા અર્થાત્ જે દિશામાં ગુરુમહારાજા હું વિહરતા હતા તે દિશામાં શ્રી પુંડરીક મહારાજાએ, દીક્ષાનો સ્વીકાર કરવા માટે કે ભોજન કે પાણીનો પણ સ્વીકાર કર્યા વિના પ્રયાણ આરંભ્ય.”