________________
સંતા... ભાગ-૨
રામ-લક્ષ્મણને
“પણ રાજભોજ્યોમાં ગૃદ્ધિમાન બનેલો શ્રી કંડરીક ત્યાંથી ચાલ્યા નહિ. કારણકે ‘જીવોને મનની જેમ જિહ્વા ઇન્દ્રિય પણ દુર્જય છે.”
એમ ઉપકારીઓએ ફરમાવ્યું છે. રસના ઇન્દ્રિયની લોલુપતાના પ્રતાપે અતિશય ભોગોમાં ગૃદ્ધિમાન બની ગયેલા શ્રી કંડરીકે પોતાના પરમતારક પરમમહર્ષિઓની સાથે વિહાર ન કર્યો, એ વાતને જાણીને શ્રી પુંડરીક મહારાજા એકદમ શ્રીકંડરીક મુનિ પાસે આવ્યા અને પોતાનું મસ્તક નમાવ્યું. માર્ગમાં સ્થિર કરવાના ઇરાદાથી શ્રી પુંડરીક મહારાજાએ શ્રીકંડરીક મુનિને ત્રણ પ્રદક્ષિણા દીધી અને હસ્તયોજનપૂર્વક કહેવા માંડ્યું કે,
धन्यस्त्वं कृत्यकृत्यस्त्वं, त्वया सफलितं जनुः । सन्त्यज्य राज्यभार्यादि, सर्वं यत्स्वीकृतं त्वया ॥ अहं त्वधन्यो निःसारं, भूरिढुःखजलार्णवम् । रिपु-तस्कर-दायादा-धीनं विद्युल्लताचलम् ॥ विपाककटुकानित्यं, विषयास्वादसुन्दरम् । अप्यवश्यं परित्याज्यं, राज्यं न त्यत्तुमीश्वरः ॥
“જે કારણથી આપે, રાજ્ય અને ભાર્યા આદિ સઘળું ય તજીને વ્રતને સ્વીકાર્યું અને જન્મને સફલ કર્યો છે, તે કારણથી આપ ધન્ય છો અને કૃતકૃત્ય છો. જ્યારે હું તો ખરેખર અધન્ય છું. કારણ કે સાર વિનાનું, ઘણા દુ:ખરૂપ પાણીથી ભરેલા સાગરસમું શત્રુ-ચોર અને લેણદારને આધીન, વિજળીની જેમ ચંચળ, વિષયોના આસ્વાદથી સુંદર પણ વિપાકે કરીને કટુક અને અનિત્ય તથા અવશ્ય કરીને તજવા યોગ્ય એવા રાજ્યનો ત્યાગ કરવા માટે હું સમર્થ નથી.”
આ પ્રમાણે એકવાર શ્રી પુંડરીક મહારાજાએ કહ્યું, ત્યાં સુધી તો રસનાધીન બનેલા શ્રીકંડરીકે ધૃષ્ટતાપૂર્વક મૌનનો જ આશ્રય * કર્યો. પણ જ્યારે શ્રી પુંડરીક મહારાજાએ એની એ જ વાત બે ofઈ ત્રણવાર કહી. એટલે લજ્જાથી વિલક્ષ બનેલા શ્રી કંડરીકે ત્યાંથી ર વિહાર કર્યો.
કંડરીક મુનિની પતરદશા પુંડરીકની પ્રેરણા શ્રી પુંડરીક મહારાજાની ઉત્તમ પ્રકારની પ્રેરણાથી વિહાર કરીને