SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ મળ્યા નહિ, તેથી શાપથી ભ્રષ્ટ થયેલ દેવતા જેવી રીતે ખિન્ન થાય તેવી રીતે તે ખિન્ન થયો. પવનંજયનો માતા-પિતા પ્રત્યેનો સંદેશ હવે વિષાદ પામેલો પવનંજય મોહને આધીન થઈને, શું શું કરે છે તે આપણે જોઈએ. પ્રથમ તો પવનંજયે, પોતાના મિત્ર પ્રહસિતને કહ્યું કે સરઘે ૮૩ત્વ જ વિમો - ચિંતાજ મહfમમામ ? માદ્યવાવવાનો%િ, ન વવાણંનાસુંદરી ???” givયાલમ તા-મરત્યે તસ્વિનામ્ ? दृश्यामि चेत्साधु तर्हि, नो चेढेक्ष्यामि पावकम् ॥२॥" “હે મિત્ર ! તું જઈને માતા-પિતાને હે કે “આ પૃથ્વી ઉપર ભટકતા મેં, કોઈપણ સ્થળે આજ સુધી અંજનાને જોઈ નથી. હજી ફ્રીથી પણ હું, તે તપસ્વિનીને અરણ્યમાં શોધું છું અને શોધતા જો તેને હું જોઈશ, એટલે કે - શોધી શકીશ, મેળવી શકીશ તો સારું પણ જો શોધવા છતાં પણ હું તેને નહિ મેળવી શકું, તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આ પ્રમાણે કહેવાયેલા પ્રહસિતે જલ્દી આદિત્યપુરમાં જઈને પવનંજયે કહેવરાવેલો તે સંદેશ, પવનંજયના પિતા પ્રફ્લાદ' અને માતા ‘કેતુમતિ' ને કહ્યો. કેતુમતિનો દુઃખપૂર્ણ પશ્ચાત્તાપ પોતાના પુત્રનો તે પ્રકારનો સંદેશો સાંભળીને, માતા કેતુમતિ જાણે પત્થરથી હદયમાં હણાઈ જ ન હોય, તેમ મૂચ્છિત થઈને ભૂમિ ઉપર પડી અને તે પછી યોગ્ય ઉપચારોથી શુદ્ધિને પામ્યા બાદ, તે પ્રથમ તો પ્રહસિતને ઉદ્દેશીને કહેવા લાગી કે "स किं त्वया प्रहसित ! व्यापतौ कृतनिश्चयः । प्रियमित्रं वने मुक्तः, एकाकी कठिनाशय !" “કઠીન હદયવાળા પ્રહસિત ! મરવાનો નિશ્ચય કરનાર તારા પ્રિય મિત્રને વનમાં તે એકલો કેમ મૂક્યો?” આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યા પછી માતા તુમતિ પોતાને જ ઉદ્દેશીને પશ્ચાત્તાપપૂર્ણ હૃદયથી બોલી કે શ્રી હનુમાનનું અવતરણ...૮ ce ૩૦પ રામાવેશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy