________________
આચાર્યો છે જિન-ધરમના દક્ષ વ્યાપારી શૂરા ઉપાધ્યાયો ગણધરતણા સૂત્રદાને ચકોરા | સાધુ અંતર અરિસમુહને વિકમી થઈ દડે દર્શન જ્ઞાન હૃદય મલને મોહ અંધાર ખડે ચારિત્ર છે અઘરહિત હો જિંદગી જીવઠારે નવપદ માટે અનુપતપ છે જે સમાધિ પ્રસારે વંદુ ભાવે નવપદ સદા પામવા આત્મશુદ્ધિ આલંબન હો મુજ હૃદયમાં હો સદા સ્વચ્છ બુદ્ધિ
શ્રી સિદ્ધચક્રાય નમઃ
શ્રી સિદ્ધચક્રજી ચૈત્યવંદનો શ્રી સિદ્ધચક આરાધતાં, સુખ સંપત્તિ લહીએ, સુરતરુને સુરમણિ, અધિક જ મહિમા કહીએ........ ૧ અષ્ટકર્મ હાણિ કરી, શિવમંદિર રહીએ, વિધિશું નવપદ ધ્યાનથી, પાતિક સવિ દમીએ .......... ૨ સિદ્ધચક્ર જે સેવશે, એક મના નર નાર; મનવાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન મોઝાર .............. અંગ દેશ ચંપાપુરી, તસ કેરો ભૂપાળ; મયણા વચને તપ તપે, તે કુંવર શ્રીપાળ ...... ... સિદ્ધચક્રજીનાં ન્યવણ થકી, જસ નાઠા રોગ; તત્તક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ ............... સાતસે કોઢી હોતા, હુવા નિરોગી જેહ, સોવન વાને ઝળહળે, જેહની નિરુપમ દેહ .................. ૬ તેણે કારણ ભવિજનો, પ્રહ ઉઠી ભકતે; આસો માસ ચૈત્ર થકી, આરાધો જુગતે .................. સિદ્ધચક્ર ત્રણ કાલના, વંદો વળી દેવ; પડિકામણું કરી ઉભય કાલ, જિનવર મુનિ સેવે ......... ૮
ન6િ1).