________________
ફળ તેથી વાંછિત મળતા, ભવિજન તે જાણે રે - પ્રાપ્તિ-૩
ગાયા જેનાં ગુણ શકે, ઉજ્જવળ જે આગમ પત્ર, સુખકારી સિદ્ધચકે, નાચે ઉર તાને રે... પ્રામિ- કીર્તિ દશ દિશમાં વ્યાપી, હરકત ભવભવની કાપી, સ્થિરતાને ઉરમાં સ્થાપી, ભાવે જે ભાવે રે - પ્રાપ્તિ...૫
જ્યકારી નવપદ સેવા, આપે અવિચલ સુખ મેવા, ધ્યાવો એ સુખપદ લેવા, વાંછ્યું શું જાણે રે - પ્રાપ્તિ...૬
ધ્યાને કુશળતા રાખો, જ્ઞાને મધુરતા ચાખો હેમેન્દ્ર જિનને પેખો, આત્મ પીછાને રે - પ્રામિ...૭
૧૯ ભારતકા ડંકા આલમ મેં.... નવપદ સેવા મંગલ ભાવે, ભવિ ! કાર્યસિદ્ધિ સઘળી લાવે, અરિહંત સિધ્ધ આચાર્ય પ્રવર, પાઠક સાધુ સેવો ભાવે..... ટેક
દર્શન જ્ઞાને ચારિત્ર તપે, દઢ ભાવધરી એકાગ્ર બનો, જિનવરનું નિર્મળ ધ્યાન ધરી, અંતર કેરા સૌ શત્રુ હણો - નવપદ-૧
આસોને ચૈત્રે સાતમથી, પૂર્ણિમા સુધી શુભ દિનમાં, એકાશી આંબિલ આદરવાં, ધરવી શુભવૃત્તિ અંતરમાં - નવપદ...૨
વર્ષો સાડાચાર વીતે તવ તપ સંપૂર્ણ બને જનનું કર્મ વિદારક નિશદિન સહાયક, સિધ્ધચક્ર સાધન ભવનું-નવપદ...૩
બે વાર પડિકામણા કરવા, પડિલેહણ પણ બે વાર કરવાં, ત્રિકાળ દેવવંદન પૂજા, નિશદિન જિનવરની ધૂન ધરો - નવપદ..૪
બાર આઠ છત્રીસ પચીસ, સત્તાવીશ સડસઠ એકાવન, સીત્તેર પચાસ ધરી દઢતા, શુભ કાઉસ્સગ કર શે પાવન - નવપદ...૫
તપ આરાધે જે વિધિ સાધે, ભવપાર બને શિવસુખ પામે, મયણાસુંદરી શ્રીપાળ સમા, શુભ સુખ પામ્યા જિનવર નામે - નવપદ..૬
વિમળેધર ચક્રેશ્વરી બન્ને, મનવાંછિતમાં અતિ સહાય કરે, હેમેન્દ્ર આત્મા શધ્ધિ ચાહે, ઉર સિદ્ધચક્રને ધ્યાન ધરે - નવપદ..૯
(૨૦) નાગર વેલીઓ રોપાય નવપદ સેવા અતિ સુખકાર, મનવાંછિત ફળને દેનાર,
11.