________________
શ્રી જ્ઞાનપદ સ્તવન (રાગ-સિદ્ધારથના રે નંદન વિનવું)
વર્ધમાન જિન તુમસે વિનવું, આપો મુક્તિ પ્રકાશ;
લાખ ચોરાશી દુ:ખ તમ વારીને, પામું શિવપુર વાસ, વર્ધમાન.
જ્ઞાન બરાબર ગુણ કોઉ જગ નહિ, તારણ આ સંસાર;
અણજાણ્યો જન કહો કિમ ભવ તરે, નહિ જ્યાં ધ્યેય વિચાર, વર્ધમાન...૨
જ્ઞાની કર્મ ખપે એક શ્વાસમાં, કોટાકોટી પ્રમાણ;
અજ્ઞાની જે કોડો ભવ કરી, ન કરે જેહની રે હાણ, વર્ધમાન નાણી આચારજ ઉવજ્ઝાયની પદવી લહે સુખ ખાણ; પૂજા નિજ દેશે ભૂપતિ લહે, નાણી ત્રિજગમાં રે જાણ, વર્ધમાન ...... નાણે આત્મ કમલ પ્રફુલ્લતું, પામે આનંદ સાર; લબ્ધિ સૂરિમાં એ ગુણ આવતાં, જલ્દી લે ભવપાર. વર્ધમાન શ્રી ચારિત્રપદ સ્તવન
(રાગ-થાલને કુંવર ચાલ તારી, ચાલ ગમેરે.)
....
૩
95
.......પ
વીર.....૧
વીર પ્રભુને ધ્યાન ભવિ નિત્ય ધારો રે, નિત્ય ધારો રે; ચરણ ગુણ ધારી વ્હાલા કર્મ વારો રે, કર્મ વારો રે. ચરણ લબ્ધિ સુખની અબ્ધિ, ગુણ નિહારો રે, ગુણ નિહારો રે; જયન્ત કર્મ મુકિત વાચક, પ્રવીણ તારો રે, પ્રવીણ તારો રે વીર...... મહિમા વ્યાખો જગમાં ભારી, વિકમકારી રે, વિકમકારી રે;
મોહ તિમિર કરે એ જડથી, ભાસ્કરભારી રે, ભાસ્કરભારી રે. વીર.....૩
નવા નવા એ નેમથી વધતું, દિપ્તીકારી રે, દિપ્તીકારી રે; સુશીલ વિના શોભે નાહિ, ગુણ ગણકારી રે, ગુણ ગણકારી રે. વીર...... કહે જિનભદ્ર એથી હોવે, સુખ અપારી રે, સુખ અપારી રે; ચારિત્ર એમ ધારી ધારો, કર્મ વિદારી રે, કર્મ વિદારી રે. જ્ઞાન ગુણકાર તુ સુધાકર, તિમિર હારી રે, તિમિર હારી રે; લબ્ધિસૂરિ ગુણ ચરણ ધારી, શિવ વિહારી રે, શિવ વિહારી રે. વીર.....૭
વીર.....પ