SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Ge પણ ધનવતીએ ચંદ્રાવતીની વાત ઉપર વિશ્વાસ કર્યો નહી. ત્યારે કમલિનીએ કહ્યું કે હે ધનવતી ! દૂત હજુ અહીં. આજ છે તેને તું બેલાવીને પૂછી લે, કે જેથી તારી શકાનું નિવારણ થાય. તરત જ ધનવતીએ દાસી દ્વારા દૂતને બેલા, દતના મૂખથી વૃત્તાંત સાંભળીને તેણી આનંદિત બની, ધનવતીએ કુકુમારસથી લેખ લખીને ધનકુમારને આપવા માટે દૂતને આપે, દૂત જલદીથી અચલપુર પહોંચ્યું, રાજા સમક્ષ રાજ્ય સભામાં ઉપસ્થિત થયે, વિક્રમધને દૂતને કહ્યું કે સિંહરાજા કુશલત છે ને? તારું જલદીથી આગમન થયું તેથી મારા અંતરમાં અનેક વિકલપ થાય છે. ત્યારે ને કહ્યું કે હે રાજન્ ! રાજકુમાર “ધન, ને પિતાની કન્યા ધનવતી આપવા માટે મને ફરીથી આપની સાનિધ્યમાં મોકલાવેલ છે. આપના પુત્રની જેમ જ ધનવતી રૂપ, ગુગ્રથી ભરેલી છે. માટે તે બન્નેને સંબંધ બાંધવાથી સુવર્ણમાં સુગંધની જેમ દીપી ઉઠશે. આપ બન્નેને મિત્ર ભાવ પહેલેથી જ ચાલતો આવે છે. જળથી જેમ વૃક્ષ વૃદ્ધિને પામે છે. તેમ તે બન્નેના વિવાહ સંબંધથી આપની મિત્રતા વૃદ્ધિ પામશે, હે દૂત! તું જેમ કહે છે તેમજ થાઓ. આ પ્રમાણે કહીને દૂતને સત્કાર કર્યો, તે દૂત ધનકુમારની પાસે ગયે, નમસ્કાર આદિ પ્રણિપાત કરીને દૂત ધનકુમારની પાસે બેઠે, ધનકુમારે તને આવવાનું
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy