SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અનુરાગથી દવદતીએ પણ અનશન ગ્રહણ કર્યું. નલમુનિ, મરીને કુબેર બન્યા, અને દવદન્તી મરીને કનકવતી બની, હુ પિતે જ તે કુબેર છું, કનકવતી તે તું છે. પૂર્વ જન્મના અનુરાગથી હું સ્વયંવર જેવા માટે આવ્યો છું; આજ ભવમાં તું મૂક્તિએ જવાની છે. આ પ્રમાણે કુબેરે કનક વતીના પૂર્વ જન્મને વૃત્તાંત શ્રી વસુદેવને કહી શ્રી કુબેર અંતર્ધ્યાન થઈ ગયા. ઈતિ નલ દમયંતી તથા કનક્વતી પરિણય કથા સમાપ્ત” વિદ્યાધથી પૂજાતા વસુદેવ નવનવી વિવાષર પુત્રીએની સાથે સતત કીડાઓમાં મગ્ન બનવા લાગ્યા, એક દિવસ મધ્ય રાત્રિને વિષે ભરનિદ્રામાં સૂતેલા વસુદેવને સૂપક, ઉપાડી ગયો. ત્યારે વસુદેવ નિદ્રામુક્ત થયા, તે વખતે સૂક,ને મુઘિાત કર્યો, મૂષ્ટિના પ્રહારથી જર્જરિત થયેલા સૂપ કે વસુદેવને હાથમાંથી છોડી દીધા, વસુદેવ ગોદાવરીમાં જઈને પડયા, ત્યાંથી તરીને કિનારે આવ્યા, ચાલતાં ચાલતાં તેમાં કેટલાપુર આવ્યા, ત્યાં પઘરથ રાજાની પુત્રી પદ્મશ્રીની સાથે લગ્ન કર્યા, ત્યાંથી વસુદેવનું નિલકઠે હરણ કર્યું. અને ચમ્પાસરોવરમાં ફેંકી દીધા. | સરોવરમાંથી તરીને બહાર આવ્યા, મંત્રી પુત્રી સાથે લગ્ન કર્યા, ફરીથી સૂર્પકે તેઓનું હરણ કર્યું. ગંગા નદીમાં તેમને ફેંકી દીધા, નદીમાંથી બહાર નીકળીને જરા નામના પલ્લી પતિની પુત્રી સાથે લગ્ન કર્યા, તેણે જરા
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy