SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. - તે બન્ને જણાએ આપ્યા, તેઓએ જુગારથી માંડી બધી હકીકત ઋતુપર્ણ રાજવીને કહી બતાવી, ત્યારે ચન્દ્રયશા રડવા લાગી, સમસ્ત અંત:પુર શોકમગ્ન બની ગયું. હરિમિત્ર જ્યારે દાનશાળા તરફ ફરવા ગયે તે ત્યાં દાન આપતી દવદન્તીને જોઈ, તરત જ દેડતે રાણી ચન્દ્રયશા પાસે આવી વાતનું નિવેદન કરી, કહેવા લાગે. હે દેવી! આપની દાનશાળામાં દાન આપનાર દવદતી પિતે જ છે. હરિમિત્રની વાત સાંભળી રાણી હર્ષો લાસમાં આવી, ચન્દ્રયશા આદિ સમસ્ત અંતઃપુર દાનશાળા તરફ ગયા, ત્યાંથી દવદન્તીને હર્ષોલ્લાસ પૂર્વક લાવી, સ્નાન કરાવી, નવીન વસ્ત્રાલંકારાદિ પરિધાન કરાવી, રાજસભામાં લાવ્યા; દવદતીએ રાજાને પ્રણામ કર્યા. રાજાએ માસીની પાસે ઉભેલી તેણીને વૃત્તાંત પૂછો, તેણીએ બનેલી તમામ હકીકત કહી સંભળાવી. એટલામાં એક દેવે સભામાં આવી દવદતીને પ્રણામ કરીને કહ્યું કે જે પિંગલ નામના ચેરને આપે અભયદાન આપી ચારિત્ર માર્ગ બતાવ્યો હતો, તે જ હું પતે છું; ધર્મઆરાધનાથી મરીને ચારિત્રને વેગે સૌધર્મ દેવલેકમાં દેવ થયે છું. અવધિજ્ઞાન દ્વારા આપના ઉપકારનું સ્મરણ કરીને આપને નમસ્કાર કરવા માટે અહીં આવ્યો છું. આ પ્રમાણે કહીને તે દેવે સાત કરોડ સેનૈયાની વર્ષા કરી, આ દશ્ય નીરખીને બધા સ્તબ્ધ બની ગયા, દેવ સ્વરથાને ગ, ડાક દિવસ બાદ અવસર જોઈને હરિમિત્રે તુ
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy