SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યના પ્રભાવથી તેણીને ભગાડી મૂકી, રાક્ષસીના જવાથી તેણે નિશ્ચિંત બનીને એક વડના ઝાડ નીચે બેઠી હતી. તે વારે એક મુસાફર આવ્યો, અને પૂછયું કે હે દેવી ! તમે કોણ છે? દવદતીએ પિતાને તમામ વૃત્તાંત કહી બતાવ્ય, તેવારે મુસાફરે કહ્યું કે પાછળ એક સાથે આવે છે. તે સાર્થની સાથે પ્રવાસ કરીને તમે કેઈ નગરમાં પહોંચી જાવ ! એટલામાં સાથે પણ આવી ગયે. સાર્થપતિ ધનદેવે દવદન્તીને વૃત્તાંત પૂછવાથી તેણીએ પિતાની સઘળી હકીકત કહી સંભળાવી, સાર્થપતિએ કહ્યું કે હે પૂત્રી ! હું અચલપુર જાઉં છું. તું નિર્ભયતાથી મારી સાથે ચાલ, સાર્થપતિએ પૂત્રીના જેમ જ પિતાની બેલગાડીમાં બેસાડી પ્રયાણ કર્યું. બીજે દિવસે સાર્થના તમામ માણસે સહિત સાથે પતિ દવદન્તીને લઈને અચલપુર પહોંચ્ય, દવદન્તીને તૃષા ખુબ જ લાગવાથી વાવમાં પાણી પીવા ગઈ એટલામાં એક જલચર જીવે તેના ડાબા પગને પકડી લીધે, નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરીને પગને આંચકે મારી પોતે નિર્ભયતાથી બહાર આવી ગઈ, પિતાના દેહ તરફ નજર નાખી તે પોતે જલદેવી સમાન દેખાવા લાગી, તુપર્ણ રાજાની રાણું ચન્દ્રયશાની પનિહારી પાણી ભરવા માટે તે વાવમાં આવી હતી, તે દવદન્તીનું સ્વરૂપ જોઈને આશ્ચર્ય ચક્તિ બની ગઈ
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy