SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ વાણું અન્યથા થવાવાળી નહતી, એકાએક ઉલકાપાત, તારાવૃષ્ટિ, ગૃહયુદ્ધ, લોહીને વરસાદ, સૂર્યના કિરણોમાંથી અંગારવૃષ્ટિ, ચંદ્રસૂર્યનું અકાળે ગ્રહણ, કેતુદર્શન, નિર્ધાત વિગેરે થવા લાગ્યું. ધરતીકંપ વારંવાર થવા લાગ્યા, રેકવા છતાં પણ ઘણા જનાવર નગરમાં આવી આવીને વિચિત્ર શબ્દ બોલવા લાગ્યા, ચિત્રમાં રહેલા દ પણ હસવા લાગ્યા, દેવપ્રતિમાઓમાં પરસેવાના બિંદુઓ આવવા લાગ્યા. એ પ્રમાણે અનેક પ્રકારના ઉપદ્રવ થવા લાગ્યા, પિશાચ, શાકિની, ભૂત, વૈતાલાદિને સાથે લઈને દ્વૈપાયન દેવનગરમાં ફરી ફરીને લોકોને બીવરાવવા લાગે, નગરના લેકે સ્વપ્નમાં લાલ માળા પહેરીને ઊંટ ઉપર પિતાને બેઠેલા જેવા લાગ્યા, વળી પિતાને સ્વપ્નમાં ભેંસ ઉપર બેસીને દક્ષિણ દિશામાં જતા જોયા, બલરામ તથા શ્રીકૃષ્ણના હલ અને ચક ભાંગી ગયા. દુષ્ટ અગ્નિકુમારે સંવર્તવાયુને સંચાર કર્યો, નગરને આગ લગાડી, જે લેકે નગરમાંથી ભાગી જવા લાગ્યા, તેમને પણ ઉછાળીને પાછા અગ્નિમાં ફેંકવા લાગ્યા, આ અગ્નિને પ્રભાવ પણ વિચિત્ર હતું, કે જેમાં બધા જ વળગી રહ્યા હતા, ફક્ત દ્વૈપાયન હસતે હતે, માતા પિતાને વિહ્વળ જેઈને બલરામ તથા કૃષ્ણ ખુબજ દુઃખી થયા, તેઓને રથમાં બેસાડી. નગરની બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રથના પૈડા જમીનમાં ફસી ગયા, બલરામ તથા શ્રી કૃષ્ણ પિતાની તમામ શક્તિથી સ્થને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, તે
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy