SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર પછી તે દેશ, કાળ અને સાધનાદિકને વિચાર કરી પિતાને જેમ ચગ્ય લાગે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ. હે સુતનુ! તારા સાંભળતાં જ તે સુરાત્તમે કહ્યું નવાહન રાજા તારી પાછળ આવે છે. તો હવે - શા માટે તું એને જોઈને ડરી જાય છે ? હે સુતનુ ! દેવતાએ આપેલા આ દિવ્યમણના પ્રભાવથી સર્વ સારું થશે. એને જોઈ ને તું બીલકુલ ખેદ કરીશ નહી. હવે આપણે કઈ બીજો ઉપાય કરીએ તે સમય રહ્યો નથી. કારણ કે, બહુ વેગથી ગમન કરત એ આ વિદ્યાધર હવે આપણી નજીકમાં આવી પહોંચે છે. વળી આ વિદ્યાધર બહુ દૂર હોય તે પણ એનાથી આપણે નાસી શકીએ તેમ નથી. કારણ કે એની વિદ્યાને પ્રભાવ બહુ -અલોકિક છે. હે સુતનુ! આપણે તે હવે એની દષ્ટિગોચર થઈ ચૂકયાં છીએ, માટે ઉપાય સંબંધી કંઈ પણ ચિંતા કરવાની હવે જરૂર નથી. હે પ્રિયે ! મારા પ્રાચીન કર્મોના સંબંધ પ્રમાણે જેમ ભાવી હશે તેમ બનશે. આ જગતની અંદર બહું શેક કરવાથી ઈષ્ટ સિદ્ધિ થતી નથી. તે શા માટે વૃથા -અ૫લાપ કરો ?
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy