SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી દેવ છે. આપણે ઘણા સમયને પરિચય છે, છતાં પણ મને તમે ઓળખતા નથી. પછી વિનયપૂર્વક પ્રણામ કરી મેં કહ્યું કે, | હે મહાભાગ ! તમારી સાથે મારે આ જન્મમાં તો પરિચય નથી. પરંતુ જે અન્ય ભવમાં હોય તે કહી શકાય નહીં. વળી આપના દર્શનથી મારી દષ્ટિ બહુ પ્રફુલ્લ થઈ છે. હૃદય પણ પ્રમુદિત થયું છે. તે ઉપરથી હું જાણું છું પૂર્વભવમાં કેઈપણ આપણે સંબંધ હવે જોઈએ. એ પ્રમાણે મારૂં વચન સાંભળી તે દેવે અતિ તેજસ્વી એવા એક મણને પ્રગટ કરી મને કહ્યું, હે મિત્ર! આ ઉત્તમ મણિરત્નને તું ગ્રહણ કર. હે સુતનુ! આ મણિ આપવા માટે જ હું તારી પાસે આવ્યો છું. માટે સર્પાદિક વિષને હરણ કરનાર એવા આ અમૂલ્ય મણિને તે સ્વીકાર કર. ત્યારબાદ મેં તેને કહ્યું, હે સુરવર ! પ્રથમ તું મને એનો જવાબ આપ કે; કેઈપણ નિષ્કારણ પ્રવૃત્તિ હોતી નથી, એમ ઉત્તમ પુરૂષેનું કહેવું છે. તે તું શા કારણ માટે મને આ દિવ્ય મણિ આપે છે? અને પૂર્વભવમાં તારી સાથે મારો કેવી રીતે સંબંધ હતો ? પછી તે દેવ છે .
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy