SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫. સુરસુંદરી ચરિત્ર હે મૃગાક્ષી ! જે વસ્ત્ર અને અલંકારો વડે તારા રૂપને ધારણ કરી આ મારો મિત્ર બહાર નીકળશે. એટલે તે તારે પરિજનવામાં પણ વિહિત થઈ જશે અને તેઓ કિંચિત્ માત્ર પણ આપણું આ કપટને જાણુ શકશે નહીં. વળી આ મારા મિત્ર પરકાર્ય કરવામાં બહુજ રસિક અને. ધીર છે. આ પ્રમાણે મારા કહેવાથી તેણીને અત્યંત હર્ષ થયો અને રોમાંચિત થઈ તરતજ તેણએ પિતાને સર્વ વેષ ઉતારીને તેને આપી દીધું. પછી હું તે બાળાને સાથે લઈ કામદેવની મૂતિ પાછળ પ્રથમનીમાફક સંતાઈ ગયે. ચિત્રગતિનું કપટ ચત્રગતિ પણ તેણીનાં સર્વ વસ્ત્ર અને આભરણ પહેરી તૈયાર થઈ દ્વાર ઉઘાડીને બહાર નીકળે. | કનકમાલાને પરિજન તેની વાટ જોઈને તૈયાર ઉભે હતો. ચિત્રગતિને જોઈ કોઈને પણ ભ્રાંતિ થઈ નહી અને. તેઓ કનકમાલા આવી એમ જાણું શિબિકાને પાસમાં લાવ્યા એટલે ચિત્રગતિ એકદમ તેની અંદર બેસી ગયે. ત્યારપછી તે લોકે ત્યાંથી નીકળીને ચાલ્યા ગયા. એટલે તેઓને કેલાહલ બંધ પડયો. આ સ્થાનમાં હવે કઈ નથી એમ જાણી મેં કહ્યું
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy