SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૧૪૩ તેમ છતાં પણ ધર્ય રાખી ચિત્રમાલા બેલી. હે સ્વામિન્ ! મારા હૃદયમાં એમ ભાસે છે કે, ચિત્રવેગનો વિરહ થશે તે જરૂર તે કનકમાલા પોતાના પ્રાણે છોડી દેશે, કારણ કે, પ્રથમ મેં આપના આગમનની વાટ જેવા બદલ કેટલાંક વચન કહીને કનકમાલાને ધીરજ આપી છે. હવે જે તે ચિત્રવેગની વાત નહી બને તે જરૂર મારા કહેવા પ્રમાણે થવાનું. ત્યાર પછી અમિતગતિ બેલ્ય. હે સુંદરી ! હવે આ કષ્ટના સમયે મારે શું કરવું ? કદાચિત્ જે આ કન્યાને હું ન આપું તે ગંધવાહન રાજા જરૂર મારી ઉપર રીસાયા વિના રહે નહીં. વળી કેવલીભગવાનના વચનથી તે રાજાને કનકમાલા ઉપર ઘણે આગ્રહ થયો છે. માટે હવે જે હા કહીને તેને ન આપીએ તો આમાંથી મેટો અનર્થ જાગે અને જે તે રાજા કોપાયમાન થાય તો આપણે આ વૈતાઢય ગિરિમાં રહેવું પણ મુશ્કેલ પડે. એટલું જ નહીં પણ અન્ય અનિષ્ટને ઘણે સંભવ રહે છે. કારણ કે, મેટાની સાથે વૈર કરવું, એ વિનાશનું જ મૂળ છે અને તેવા મેટા શત્રુને ઉત્પન કરવાથી દાવાનલમાં પડવા જેવું થાય છે. જે અજ્ઞ પુરૂષે શત્રુને જાગ્રત્ કરી તે તરફ લક્ષ્ય આપ્યા સિવાય, પિતાનું અભીષ્ટ સાધવા ઈચ્છતા હોય,
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy