SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર , ૧૨૧ માણસ આપણું સ્વાધીન નથી, વળી જેને મળવાનો સર્વથા સંભવ પણ નથી, એવા માણસ ઉપર પ્રથમથી તું સ્નેહ શા માટે કરે છે ? હે હ્રદય ! જે માણસ આપણું ઉપર સ્નેહ કરે તેને જ ઉપર નેહ રાખ તે ઉચિત છે, પરંતુ અતિ દૂર રહેવા છતાં પણ જે હૃદયને બાળે છે, તેની ઉપર રાગ કર વૃથા છે. જે રાગ હૃદય વડે જ વહન કરાય છે, તે જ રાગ વળી હૃદયને બાળે છે, હવે આ વાર્તા કેને કહેવી ? શરણથી જ ભય ઉત્પન્ન થયે, તે પછી શું કરવું? વળી મારા હૃદયને શાંત કરનારા તે કમલેદાર સમાન અતિસુકેમલ એવા તેણીના હાથને જ હું માનું છું. હવે તેણીને તે સુકેમલ હાથ જે દિવસે મારા હાથને સ્પર્શ કરે, તે દિવસ કેઈ આવશે ખરો ? અરે ! તેણીની સાથે પાણી ગ્રહણદિક તે દૂર રહ્યું, પરંતુ મારા હૃદયને ઈષ્ટ એવા તેણીના દર્શનને પણ હું દુર્લભ માનું છું. વિરહ દુઃખને શાંત કરનાર તેણીનું મુખારવિંદ જે મારી દૃષ્ટિગોચર ન થાય તે મારૂં જીવિત વૃથા છે, એટલું જ નહીં પરંતુ આ મનુષ્યભવ પણ નિરર્થક છે. અથવા જે મારૂં દૈવ અનુકૂળ હશે તે આમ્રલતાના કહેવા પ્રમાણે પ્રભાતમાં તેનું મને દર્શન થશે. પ્રચંડ વિરહાગ્નિની જવાલાઓ વડે બહુ તપી ગયેલા
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy