SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પાએ પતિ કનક' એમ બોલો , ચૌટ માટે કયે દંડ આવે છે તે સત્વર કહે, કારણ પરસ્ત્રીગમન કરનાર પુરૂષોમાં તમે તે શિરેમણિ છે. માટે પરસ્ત્રીગમન કરનાર અન્ય પુરૂષો કરતાં તમે અધિક શિક્ષાને પાત્ર છે. આ વાતને જરા વિચાર કરે. મધુરાજ આમ સાંભળી પિતાને વૈરાગ્ય આવવાથી તથા લજજા આવવાથી કઈ પણ ઉત્તર નહીં આપી પુનઃ સભામાં ચાલ્યા ગયે. ત્યાર પછી એક દિવસે ગોખમાં બેઠેલી ચંદ્રાભાએ, બાળકોથી ઘેરાયેલે, જેમ તેમ કુદકા મારતે, ચૌટામાં ઉભા રહી ચંદ્રભા ચંદ્રાભા ! એમ બેલ વિકલ બની ગયેલ પિતાને પતિ કનકપ્રભ છે. આવી કરૂણાજનક અવસ્થાને પામેલા પિતાના ભરથારને જોઈ અતિ ખિન્ન થયેલી ચંદ્રાભા પિતાને અધમાધમ માની ધિક્કારતી ધિક્કારતી પિતાના મનમાં વિચાર કરે છે કે, “અરે દેવ ! મારી શી ગતિ થશે જે મારો પતિ મારા વિયોગને લીધે આવી વિકલ દશાને પામેલે છે, ને હું મધુરાજાની સાથે ભેગ ભેગવતી મેજમજા ઉડાવું છું! તેમાં કોઈ દિવસ આને વિચાર પણ કરતી નથી. હે જીવ! તું ખરેખર મહા પાપી છે. આ મહાપાપનું ફલ તારે અવશ્ય ભેગવવું જ પડશે.” આમ દિલગીર થઈ પશ્ચાતાપ કરવા લાગી. એક દિવસે ચંદ્રાભાએ મધુરાજાને દુર્દશા પામેલે પિતાને પતિ કનકપ્રભ દેખાડ્યો ત્યારે તેવી સિંઘ દશાને પામેલા કનકપ્રભને જોઈ મધુરાજા વિચાર કરે છે કે, “આવે અન્યાય કરનારા મને ધિક્કાર છે! સ્ત્રી પુરૂષને વિયેગ કરાવવારૂપ તથા પરસ્ત્રીગમનરૂષ પાપનું શું પરિણામ આવશે!
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy