SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦-૨૧ કરનાર જીવ જેમ થાક ઉતારીને વિશેષ બળથી ઝડપી ગમનની પ્રવૃત્તિ કરે છે, તેમ મોક્ષમાર્ગમાં સતત પ્રવૃત્ત એવા સાધુ માટે દેવભવ રાત્રિના સૂવા જેવી શક્તિસંચયની ક્રિયા છે. માટે આ મનુષ્ય ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા નથી તેવા યોગીઓ, દેવભવમાં જાય છે ત્યારે ચારિત્રના ભંગને કારણે અવિરતિવાળા હોવા છતાં સંયમપાલન માટે વિશેષ શક્તિનો સંચય કરે છે; જેથી ફરી મનુષ્યભવ પામીને પૂર્વ કરતાં અધિક આગળના સંયમના કંડકને પામીને શીધ્ર ઇષ્ટ એવા મોક્ષનગરને પ્રાપ્ત કરે છે. ફક્ત જે સાધુ જમાલિ આદિની જેમ સંયમની વિરાધના કરીને દેવભવમાં ગયા છે, તેઓને દેવભવ નિશિસ્વાપ જેવો નથી, પરંતુ દિગ્મોહ પામેલા મુસાફરની જેમ વિપરીત દિશામાં ગમન જેવો છે. ૨૦મી. # મિત્રાદષ્ટિ અવતરણિકા :इदानीं प्रतिदृष्टि साकल्येनाङ्गयोजनामुपदर्शयन्नाह - અવતરણિકા - હવે દરેક દષ્ટિમાં સાકલ્યથી યોગદષ્ટિના અંગોની યોજનાને બતાવતાં ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : શ્લોક-૧૬માં કહેલ કે યોગના યમાદિ આઠ અંગોના કારણે દૃષ્ટિના આઠ ભેદ છે, વળી યોગની પ્રવૃત્તિમાં ખેદ, ઉદ્વેગાદિ દોષોના પરિવારથી પણ યોગદૃષ્ટિના આઠ ભેદો છે, અને યોગની પ્રવૃત્તિમાં અષાદિ ગુણોની નિષ્પત્તિથી પણ યોગદષ્ટિ આઠ ભેદવાળી છે; અને શ્લોક-૧૬ની ટીકામાં અંતે કહેલ કે આ સાકલ્યને દરેક દૃષ્ટિમાં અમે બતાવીશું. તેથી હવે તે સાકલ્યને દરેક દૃષ્ટિમાં બતાવતાં ગ્રંથકાર કહે છે - આ અવતરણિકાનો સંબંધ આઠ દૃષ્ટિઓના સાકલ્યના યોજન સાથે છે, જે યોજન શ્લોક-૧૭૮માં પૂર્ણ થાય છે. હવે પ્રથમ મિત્રાદષ્ટિમાં તેનાં ત્રણ અંગોની યોજનાને બતાવતાં કહે છે – શ્લોક : मित्रायां दर्शनं मन्दं, यम इच्छादिकस्तथा । अखेदो देवकार्यादावद्वेषश्चापरत्र तु ।।२१।। અન્વયાર્થ :મિત્રા મિત્રામાં તન મન્દ્ર=દર્શન મંદ છે તથા=અને રૂછાદિ: યE=ઈચ્છાદિક ભેજવાળો યમ છે,
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy