SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦-૧૧ ભાવાર્થ : (૪) નિદ્રાવૃત્તિનું સ્વરૂપ : પાતંજલ મતાનુસાર નિદ્રાકાળમાં ઘટ-પટાદિ કોઈ પદાર્થોનો બોધ નથી તેથી અભાવની પ્રતીતિ છે અને અભાવની પ્રતીતિના આલંબનવાની વૃત્તિને તેઓ નિદ્રા કહે છે. નિદ્રા ચિત્તની વૃત્તિ કેમ છે ? તેમાં તેઓ યુક્તિ આપે છે – જાગ્યા પછી “હું સુખપૂર્વક સુતેલો' તેવી સ્મૃતિ થાય છે અને સ્મૃતિ હંમેશા અનુભવપૂર્વક થાય છે, તેથી નિદ્રાકાળમાં જીવને સુખનો અનુભવ વર્તે છે માટે નિદ્રાને ચિત્તની વૃત્તિરૂપે તેઓએ સ્વીકારેલ છે. જૈન દર્શનાનુસાર નિદ્રાનું સ્વરૂપ : જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર જ્ઞાન અને દર્શનની જીવમાં શક્તિ છે. તેમાંથી દર્શનની શક્તિને હણે તેવી જીવની અવસ્થા છે તે નિદ્રા છે અને નિદ્રાઆપાદક કર્મના ઉદયથી જીવની દર્શનશક્તિ હણાય છે તેથી જીવનું ચૈતન્ય અત્યંત અવ્યક્ત બને છે, તેવી અવ્યક્ત ચૈતન્ય અવસ્થારૂપ નિદ્રા છે. II૧-૧૦માં અવતરણિકા : स्मृतिं व्याख्यातुमाह - અવતરણિતાર્થ : ક્રમ પ્રાપ્ત સ્મૃતિવૃત્તિનું વ્યાખ્યાન કરવા માટે કહે છે – સૂત્ર: અનુમૂતવિષયાસપ્રમોષ: શ્રુતિઃ -શશ સૂત્રાર્થ : અનુભૂત-પૂર્વમાં અનુભવ કરાયેલ, વિષયનો સંપ્રમોષaફરીથી ઉપસ્થિતિ, તે, સ્મૃતિ છે. ll૧-૧૧ના ટીકા: ___ 'अनुभूतेति'-प्रमाणेनानुभूतस्य (प्रमाणादिनानुभूतस्य ) विषयस्य योऽयमसम्प्रमोषः संस्कारद्वारेण बुद्धावुपारोहः सा स्मृतिः, तत्र प्रमाणविपर्ययविकल्पा जाग्रदवस्था, त एव तदनुभवबलात् प्रक्षीयमाणाः स्वप्नः, निद्रा तु असंवेद्यमानविषया, स्मृतिश्च प्रमाणવિપર્યયવિન્જનિદ્રાનિમિત્તા I-૨૨ા.
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy