SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ. સા.ની ટિપ્પણી અર્થ : નવો ગ્રાદિ ... ૩૫પત્તિઃ ? રૂતિ વેત્, આયુષ્યકર્મરૂપ ભવોપગ્રાહિકકર્મનું એકમવિકપણું હોતે છતે ક્વી રીતે સાત જન્મ સુધી વિપ્રપણું આપનાર=બ્રાહ્મણપણું આપનાર, કર્મવિપાક્ની ઉપપત્તિ=સંગતિ થશે ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – રેવનારજો.... ક્ષમ, દેવ અને નારકોને એક જ ભવનું ગ્રહણ છે અને પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યના સાત-આઠ ભવોનું ગ્રહણ છે અને પૃથ્વીકાયાદિની અસંખ્યય (ભવો) કાયસ્થિતિ છે. ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલા ક્રમ વડે, તેવા તેવા પ્રકારના ગતિ, જાતિ આદિ નામકર્માદિના સંચયથી સઘાચીન સહિત, તેવા પ્રકારના નવા નવા ભવના આયુષ્યની પરંપરાના અનુબંધના કારણે અમારે આ અનુપપત્તિ-અસંગતિ નથી=સાત જન્મ સુધી વિપ્રત્વને આપનાર કર્મના વિપાકની કેવી રીતે સંગતિ થશે એ અમને જૈન સિદ્ધાંત પ્રમાણે અસંગત નથી. આ રીતે જૈનદર્શનનુસાર સાત જન્મ સુધી વિપ્રત્વને આપનાર કર્મના વિપાકની સંગતિ બતાવ્યા પછી પાતંજલમતાનુસાર કર્ભાશયની સંગતિ થતી નથી તે બતાવવા માટે પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે – ભવતાં નૈમેવ .... શક્યત્વીત્ ! તમારા મતાનુસાર પાતંજલમતને કહેનાર વ્યાસમતાનુસાર, એક જ કર્મ પ્રારબ્ધપણાને પામતું નથી. પરંતુ પ્રાયણકાળથી ઉબુદ્ધવૃત્તિવાળા અનેક તે તે ક્ષણવર્તી બહુ કે અલ્પ સુખ-દુ:ખના હેતુભૂત ગુરુ કે લઘુકર્મ પ્રારબ્ધતા છે, એથી એક જન્મમાં ક્લસપ્તક ભોગકર્મની ભોગકર્મના વિપાકની, આપત્તિ છે. (એથી) જેમ એક જન્મમાં સાત જન્મ સુધી વિપ્રપણું આપનાર કર્મના વિપાકની પ્રાપ્તિ છે એ રીતે એક જન્મમાં કરાયેલ તેવા પ્રકારનો કર્મપ્રચય પ્રાયણસપ્તક દ્વારા “ચં ચં વાઈ મન્ માવ' ઇત્યાદિ ગીતાના અધ્યાય-૮, શ્લોક-૬ની સ્મૃતિના અનુરોધથી અથવા પ્રાયણસપ્તકના કાળથી ઉત્પન્ન કરાયેલ એવા દેહાન્તર વિષય-અન્ય દેહ વિષય, અંતિમ પ્રત્યયો વડે ક્રમથી પ્રાપ્ત થયેલ પ્રારબ્ધતાવાળા કર્મનું સાત જન્મ સુધી વિપ્રપણાના ઉપપાદક્તો સ્વીકાર કરાયે છતે આભવિક કર્ભાશયની પ્રતિજ્ઞા વડે સર્ય અર્થાત્ એકભવિકકર્ભાશય સ્વીકારવાની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે. આ પ્રમાણેકવ્યાસઋષિ એક ભવમાં બંધાયેલું કર્મ સાત જન્મ સુધી વિપ્રપણું આપે છે એમ સ્વીકારે તો એકભવમાં બંધાયેલું કર્મ ઉત્તરના એક ભવમાં વિપાક આપે છે તે ક્યનનું તો નિરાકરણ થાય છે, પરંતુ એક ભવમાં બંધાયેલું કર્મ સાત જન્મ સુધી વિપ્રપણાના ફળને આપે છે એ રીતે, અનંતભવવિપાકીપણાનું પણ એક ભવમાં બંધાયેલું કર્મ અનંત ભવો સુધી ફળ આપે એવા કર્ભાશયનું પણ, હેવા માટે શક્યપણું છે. ભાવાર્થ : આયુષ્યરૂપ ભવોપગ્રાહિકર્મનું એકભાવિકપણું હોવાથી સાત જન્મ સુધી વિપ્રપણાના ફળને આપનાર કર્મવિપાકની સંગતિ કેવી રીતે થશે તેનું પૂ. ઉપાધ્યાયજી મહારાજ દ્વારા સમાધાન : પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પાતંજલદર્શનકારને કહ્યું કે એકભવિક કર્ભાશય એ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy