SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારી નેત્રાંજન ૩૫ તે જોઇ સુમિત્ર વિચાર કરવા લાગ્યા. ખરેખર આ કોઈ સ્ત્રીઓ હાવી જોઈએ. શ્વેત'જન આંજવાથી કોઇ સિદ્ધ અથવા કોઈપણ દેવતાએ નીડરપણે એમને ઉંટડીએ મનાવી છે. વળી આ નીલ જન વડે આ બંને પેાતાના સ્વાભાવિક સ્વરૂપને જલદી પ્રાપ્ત થશે, એમ સ્વબુદ્ધિપ્રભાવથી હું નિશ્ચય કહી શકું છું. એમના નેત્રમાં અંજન આંજીને એમને સ્ત્રીઓ બનાવુ. પેાતાની હાંશીયારી અને અંજનના પ્રભાવ જોઉં તા ખરા ? કદાચિત્ અ ંજનથી તેએ રાક્ષસીએ અથવા પિશાચીએ થઈને પ્રથથ જ મને ગળી જાય તે! મારૂ શરણુ અહીં કેણુ થાય ? અને જો તપાસ કર્યાં વિના એમને એમ જ સૂકીને ચાલ્યા જાઉ' તે, મારા મનની અંદર આ ઊંટડીઓ તીવ્ર શલ્યની માફક જીવન પર્યંત પીડા કરશે. ભલે પ્રિય કે અપ્રિય જે થવાનુ હોય તે ભલે થાય, પરંતુ સાહસ તે જરૂર કરીશ. કારણકે ભીરૂતાથી કઈ દિવસ કાઈપણુ ઉત્તમ કા` સિદ્ધ થતું નથી. ચમત્કારી નેત્રાંજન અને બાદ સુમિત્ર કૃષ્ણજનનાડ ખામાંથી અજન લઈ અને "ટડીએના નેત્રામાં આંજ્યું અને તરતજ તે દેવાંગના સમાન સ્ત્રીએ થઈ ગય. જલદી પલંગ પરથી નીચે ઉતરીને આશ્ચર્ય પામી વિનયપૂર્વક નમસ્કાર કરી પલંગ પર તેઓએ તેને બેસાર્યાં. ત્યારબાદ સુમિત્ર સ્ત્રીઓને પૂછ્યું. હું સુભગે ! સત્ય વાત કહેા, આ નગર શા કારણથી શૂન્ય થયું છે ? અને તમે કાણું છે ?તમે ઊંટડીઓનુ સ્વરૂપ શામાટે ધારણ કર્યુ હતુ ? ખંનેમાંથી મેાટી શ્રી ખેાલી. જેની વાણી એટલી બધી મીઠી હતી કે, વીણા અને વેણુના નાદને પણ લજાવતી હતી.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy