SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકૃત સ્તુતિ ૨૯૫ વાર આ કલેક બો. એટલે શ્રી કુમારપાલે તેને નવ લાખ સયા ખુશી થઈને આપ્યા. ગુરુકૃત સ્તુતિ શ્રી હેમચંદ્રસૂરિએ પાંચ શકસ્તવ વડે દેવવંદન કરી આનંદના મંદિરરૂપ શ્રી તીર્થકર ભગવાનની સ્તુતિ કરી. त्वमीशस्त्वं तात-स्त्वमतिसदयस्त्व हितकर स्त्वमय॑स्त्वं सेव्य-स्त्वमखिलजगद्रक्षणचणः । अतस्त्वत्प्रेष्योऽह, भवपरिभवत्रस्तह्रदयः, __ प्रपन्नस्त्वामस्मि, त्वरितमव मां नाभितनय ! ॥ १ ॥ હે આદિનાથ ભગવાન ! તમે સ્વામિ છે, તમે પિતા છે, તમે અતિ દયાલું છે, તમે હિતકારી છો, તમે પૂજય છે, તમે સેવવા લાયક છે. તેમજ સર્વ જગતનું રક્ષણ કરવામાં કુશલ પણ તમે જ છે. એટલા માટે આપને કિંકર હું સંસાર પરિભવથી ત્રાસ પામી આપના શરણમાં આવ્યો છું તે જલદી આપ મારું સંરક્ષણ કરે. ત્યારપછી શ્રી કુમારપાલભૂપતિ યાત્રા પૂર્ણ કરી, ત્યાંથી ઉતરી તેમનું જ ધ્યાન કરતે કેટલાક દિવસે ઉજયંતગિરિરાજની નજીકમાં આ . ઉજયંતગિરિ સૂરદ્ર અને નરેંદ્ર બંને એક સાથે ગિરીંદ્રપર ચઢે છતે રાવણે ઉપાડેલા અષ્ટાપદ ગિરિની માફક તે ગિરિ કંપવા લાગ્યો. શ્રી મહારાજ કુમારપાલે ગુરુને પૂછયું કે, આ પર્વતને કંપવાનું શું કારણ? ગુરુ બેલ્યા. હે રાજન ! આ માર્ગમાં છત્રશિલા નામે એક શિલા. રહેલી છે. તેની નીચે એક સાથે બે પુણ્યશાલી જી નીકળે, તો. તેમના મસ્તક પર આ શીલા પડે, એમ પ્રાચીન લોકે કહે છે. આપણે બંને પુણ્યશાળી છીએ, માટે અહીંયાં જતાં આપણું ઉપર રૈવતાચલના કંપવાથી આ શિલા કદાચિત પડે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy