SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ચરિત્ર પ્રભુભકિત અષ્ટાહિક મહત્સવ અને સુવર્ણ ધવજારોપણાદિક ક્રિયાઓ સમાપ્ત કરી શ્રી આદિનાથ ભગવાનને વંદન કરી શ્રીમાન કુમારપાલ ભૂપાલ હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે સ્વામિ ! તમારી ભક્તિ વિનાના જે દિવસે ગયા, હાથમાંથી પડી ગયેલા સુવર્ણની માફક મને બહુ પીડા કરે છે. વિષથી પીડાયેલ માણસ અમૃતને જેમ, વ્યાધિથી પીડાયેલે ઔષધને જેમ સંસારથી પીડાયેલે હું હાલમાં આપનાં દર્શન કરી બહુ પ્રસન્ન થયો છું. આપના દર્શનથી વિમુખ થઈ સાર્વભૌમ થવાની ઈચ્છા રાખતે નથી અને પક્ષી થઈને પણ હું આપના મંદિરમાં આપના દર્શનમાં તત્પર રહું, એમ હું ઈચ્છું છું. देवोऽर्हन् गुरुरग्रणीव्रतभृतां धर्मः कृपांभानिधि__ लॊकाढयङ्करणी रमा परहितव्यापारपारीणता । उच्चैः सज्जनसंगमो गुणरतिश्चाध्यात्मनिष्णातता, ___ स्वामिन् ! मे त्वदनुग्रहात् प्रतिभवं भुयासुरेतेऽनिशम् ॥१॥ હે સ્વામિ ! અહંત દેવ, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગુરુ દયાસાગર ધર્મ, લેકેને ધનાઢ્ય કરનારી લમી, પરોપકારરૂપ વ્યાપારમાં મુખ્યત્વ, હંમેશાં પુરુષોને સમાગમ, ગુણેપર પ્રીતિ અને અધ્યાત્મજ્ઞાનમાં કુશલતા, એ સર્વે આપના અનુગ્રહથી દરેક ભવમાં મને હંમેશાં પ્રાપ્ત થાઓ. એમ પ્રાર્થના કરતા શ્રી કુમારપાલને જોઈ દેવની નજીકમાં ઉભેલે કેઈક ચારણ આ પ્રમાણે ઉચિત વાણી છે. જે એક પુષ્પ વડે નર, અમર અને મોક્ષની સંપત્તિ આપે છે, તે શ્રીમાન આદિનાથભગવાનની ભક્તિનું તે કહેવું જ શું?” એ પ્રમાણે તું વારંવાર બોલ, એમ ભૂપતિના કહેવાથી તે નવા
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy