SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ કુમારપાળ ચરિત્ર અગ્નિમરણવડે નિદાનથી મરતાં તને મેં ના પાડી હતી, છતાં પણ તું મરીને આવી વિડંબનાને ભેકતા પંચશૈલને અધિપતિ થયો. અને હું તે જૈન ધર્મના જ્ઞાનથી શ્રીજિનેદ્રભગવાને કહેલા વતની આરાધના કરી આયુષ્ય પૂરું કરી મરીને આ વૈભવશાળી દેવ થયે છું. કૃષ્ણ સર્પ દંશ કંઈક સારે, પરંતુ કામરૂપી સપને દંશ સારે નહીં, કારણ કે કૃષ્ણસર્પનું વિષ કદાચિત સાધ્ય થાય છે, પરંતુ કામ વિષ તે અસાધ્ય જ હોય છે. વળી હે મિત્ર ! કામરૂપી આ અપરમાર રોગ વવોને પણ અસાધ્ય હોય છે, જે બેભાન બનાવી છેવટે મનુષ્યોના જીવિતને હરણ કરે છે. એ પ્રમાણે દેવનું વચન સાંભળી વિન્માલી બહુ પશ્ચાત્તાપ કરી છે . હે મિત્ર! હાલમાં પ્રસન્ન થઈ તું મને ઉપદેશ આપ. હાલમાં મારે શું કરવું? દેવ બેલ્યો. શ્રીમહાવીર પ્રભુ હાલમાં ગૃહસ્થ વેષે ગૃહાવાસમાં રહી મુનિની માફક ભાવવડે કાત્સગે રહે છે. તેમની દીવ્યમૂતિ બનાવીને તું કેઈક શ્રદ્ધાલુપુરૂષના હાથમાં પૂજા માટે સમર્પણ કર. જેથી આગળ ઉપર તારૂં કલ્યાણ થશે. रत्नाऽष्टापदरुप्यविद्रुमशिलाश्रीखण्डरीर्यादिभि__ मूर्ति स्फूर्तिमयीं विधापयति यः श्राद्धाभरादह ताम् । तस्मान्नश्यति भीरुकेव कुगतिः स्निग्धेव ससेवते, शकश्री शितेव मुक्तिरमणी तत्संगम वांच्छति ॥ १ ॥ રત્ન, સુવર્ણ, રૂ, વિદ્રમ, પાષાણુ, ચંદન અને પિત્તલ વિગે– રેથી શ્રીનિંદ્ર ભગવંતોની દીવ્ય કાંતિમય મૂતિને બહુ શ્રદ્ધા વડે જે નિર્માણ કરાવે છે, તે પુરુષથી બીકણુની માફક કુગતિ નાશી જાય છે અને .
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy