SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ યશશ્ચંદ્રગણિ તિર્વિ૬ લોકેએ વિધિ પ્રમાણે ગ્રહની શાંતિ કરી. વિદિક મંત્રોના પાઠ કરતા બ્રાહ્મણોએ હોમ કર્યા. અવતરણ કિયામાં કુશલ એવા પુરુષોએ પાત્રોમાં પ્રવેશ કરી, બહુ તપાસ કરી. નેહી એવા બંધુઓએ તીર્થયાત્રાદિકની પ્રતિજ્ઞા કરી, વૃદ્ધ પુરુષોએ પિતાની દેવદેવીઓની બાધાઓ રાખી. પૂજારીઓએ ચોસઠ યોગિનીઓનાં બલિ પ્રદાન કર્યા. પરંતુ એ ઉપચાર વડે મેઘના પુષ્કલ જલવડે બળેલા બીજની માફક આમ્રટને કેઈપણ પ્રકારનો ગુણ થયે નહીં. ત્યારબાદ નિરાશ થયેલી પદ્માવતી નામે તેની માતાએ રાત્રીને વિષે પદ્માવતી દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ બોલી. તારે પુત્ર મૈત્ય ઉપર આનંદથી નાચવા લાગે, તે સમયે તેના સારાં લક્ષણ જોઈ ચેગિનીઓ તેને વળગી છે. શક્યના પુત્રને જેમ શક્ય તેમ બત્રીસ લક્ષણ ધર્મિષ્ઠપુરુષને દુષ્ટ આ ગિનીઓ કે દિવસ સહન કરતી નથી. શ્રી હેમચંદ્રાચાર્ય અહીં રહ્યા હતા, ત્યાં સુધી તેઓ ગુપ્ત હતી, અને તે ગયા એટલે દરિદ્રાવસ્થામાં આપત્તિઓની જેમ તેઓ પ્રગટ થઈ એ દોષને નિવારવા માટે તે ગુરુ જ પોતે શક્તિમાન છે. કારણ કે, અંધકારના સમૂહને દૂર કરવા માટે સૂર્ય જ સમર્થ હોય છે. એમ કહી પદ્માવતી દેવી અદશ્ય થઈ ગઈ. પછી તેજ વખતે પદ્માવતીએ ગુરુને તેડવા માટે પિતાના માણસને પાટણ મેકો . યશશ્ચંદ્રમણિ પદ્માવતીએ મોકલેલો માણસ સાયંકાલે ત્યાં પહોંચે, સર્વ વૃત્તાંત તેણે નિવેદન કર્યું. સર્વ હકીક્ત જાણ સૂરીશ્વર મહાદક્ષ એવા શ્રીયશશ્ચંદ્રગુણિને ભાગ-૨ ૧૭
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy