SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કુમારપાળ ચરિત્ર દિવસપણને પામે. તે પણ હિંસા કરવાથી સુકૃત થાય નહીં.” તેવું શાસ્ત્ર, દેવપૂજા, કુલકમ કે, તેવું પુણ્ય પણ કોઈ નથી, કે જેની અંદર પ્રાણુની હિંસા હોય. માટે બુદ્ધિમાન પુરુષ દુર્જનની મૈત્રીની જેમ હિંસાને અતિ દૂર કરી સજનની મૈત્રી સમાન બહુ સમીપ રહેલી એક દયા જ પાળવી આ લેકમાં અપ્રતિષ્ઠાદિ અને પરલેક-જન્માંતરમાં મૂકવાદિ. દો, એ અસત્યનું ફલ છે. એમ જાણું ધર્મિષ્ઠપુરુષે સ્થૂલ અસત્યને ત્યાગ કરે. અંધકારમાં દિવે, સમુદ્રમાં વહાણ, શીતકાળમાં અગ્નિ અને રોગમાં ઔષધ, એમ દરેકના ઉપાય હોય છે, પરંતુ અસત્ય વાદીની કઈ પ્રતિક્રિયા નથી. અન્ય અસત્ય બોલવાથી પણ પ્રાણી દુર્ગતિમાં જાય છે, તે ધર્મ સંબંધી અસત્ય ભાષી માણસ કે જાણે કઈ ગતિમાં જશે ? માટે કુકર્મની માફક અસત્યનો સર્વથા ત્યાગ કરી વિશ્વાસાદિક ગુણોનું સ્થાનભૂત સત્યનો જ આશ્રય કરે. (૨) હસ્ત છે, શિલ્વેદ અને શૂલારોપણ વિગેરે વધ, બંધન કિયાઓ. ચેરીનું ફલ છે; એમ જાણી ઘૂલ ચેરીને ત્યાગ કરે. વધ કરવાથી પણ ચેરી અધિક ગણાય છે. કારણ કે, મારવાથી એક જ પ્રાણી મરે છે અને ઘન ચેરવાથી બહુ ક્ષુધાવડે સમસ્ત કુટુંબ મરી જાય છે. મનુષ્ય પ્રાણ આપીને પણ દ્રવ્યનું રક્ષણ કરે છે. માટે વિવેકી પુરુષે પ્રાણથી પણ દ્રવ્યને અધિક જણ સર્વથા. ચારી કરવી નહીં. તેમજ ચિરકાલ પિતાની કુશલવૃદ્ધિ ઈચ્છનાર બુદ્ધિમાન પુરુષે કાલકૂટની માફક પ્રાણપહારી ચૌર્યાવૃત્તિ કરવી નહીં.(૩) દુક્કીતિ, નપુંસકતા અને દ્રવ્યહાનિ એ અબ્રહ્મ-મૈથુનનું ફલ. છે, એમ જાણી બુદ્ધિમાન પુરુષ પિતાની સ્ત્રી ઉપર પ્રીતિ કરે. ગૃહરથ. પણ જે પુરુષ જિતેંદ્રિય થઈ શીલવ્રત પાળે છે, તેના ગુણવડે રકત. થયેલી હોય તેમ સુકૃતશ્રી પિતે આવી તેને વરે છે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy