SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કુમારપાળ ચરિત્ર માર્ગમાં ચાલતાં હાથીઓના મદજળવડે જાનુ-ઢીંચણ પ્રમાણ નદીઓને નાવથી તરવા લાયક કરતે, તેમજ અગાધ જલવાળી હુસ્તર નદીઓને પ્રબલ રીન્યથી ઉખડેલી ધુળના પંજવડે સુખે તરવાલાયક કરત અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની સેવાના ઉત્સાહથી સવર ગતિ કરતે વીરાંગદરાજા કેઈ વનની અંદર સૈન્યને પડાવ કરી રહ્યો. તેવામાં ત્યાં અકસમાત દવ લાગે. જેની જવાલાએ ચારે તરફ ફેલાઈ ગઈ અને ક્ષણ માત્રમાં ભક્ષ્ય પદાર્થને ખાવા માટે ભક્ષકની જેમ તે દાવાનલે વનપ્રદેશના ઘાસને બાળવા માટે પ્રારંભ કર્યો. લીલાં વૃક્ષો પણ બળવા લાગ્યાં. જેમાંથી નીકળતા ધૂમાડાઓ આકાશમાં છવાઈ ગયા અને એટલું બધું આકાશ શ્યામ થયું કે, જેની કાળાશ હજુ સુધી પણ જતી નથી, એમ હું માનું છું. તેમજ દાવાનળવડે બળતું તે વન ફટોફટ ફાટતા વાંસડાઓના શબ્દો વડે પિકાર કરતું હોય, તેમ ચારે તરફ દેખાતું હતું. દ્વીપના મધ્યભાગમાં રહેલા માણસને ઉછળતા સમુદ્રના પૂરની જેમ સર્વત્ર પ્રસરી ગયેલા દાવાનલે રાજાના સૈન્યને કયું. ચારે દિશાઓમાં અગ્નિની જવાલાઓ આકાશ માર્ગે પ્રસરી ગયે છતે શોણિતપુરમાં રહેલા લોકોની માફક રાજસૈનિકે શોભવા લાગ્યા. જ્યારે ચારે તરફ અગ્નિ પ્રસરી ગયે, ત્યારે સૈન્યના લોકોએ બહાર નીકળવા માટે ઘણાંએ ફાંફાં માર્યા, પરંતુ નીકળવાની શકિત રહી નહીં અને ત્યાંને ત્યાં જ સંભ્રાંત થઈ તેઓ આવર્ત જળની માફક ફરવા લાગ્યા. અગ્નિવડે પીડાતા સૈનિકોના પ્રસરી ગયેલા આકંદ સાંભળી રાજા બહુ દુઃખી થયે અને મનમાં વિચાર કરવા લાગે. હું બહુ ભાવથી શ્રી પાર્શ્વનાથપ્રભુને વાંચવા માટે જાઉં છું. તેમાં અંતરાય કરનારની માફક આ દાવાનલ બાળવાની ઈચ્છા કરે છે. તે પ્રભુની ભકિત કરનાર કઈ પણ શાસનદેવી એવી સમર્થ નથી કે જે ક્ષણમાત્રમાં પવનસમૂહથી ધુળની જેમ શ્રાવકોના કલેશને દૂર કરે. એમ વીરાંગદ ધ્યાન કરતા હતા, તે જ વખતે શુદ્ધ હૃદયથી
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy