SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ હેમાંગદ અને સુમુદ્ધિ ૬૧ રાજકુમારનુ' હેમાંગઢ અને મત્રીસુતનુ સુબુદ્ધિ નામ પડ્યું, એક દિવસ વીરાંગઢરાજા મ`ત્રી સાથે રાજપાટીમાં જતા હતા. ત્યાં લક્ષ્મીવડે સુ ંદર અને વિશાલ એક આમ્રવૃક્ષની છાયામાં સ્વેચ્છા પ્રમાણે બેઠેલું અને શ્રીમ ્પાન્ધ પ્રભુના ગુણગ્રામની સુંદરતા ભરેલા ગીતનું ગાયન કરતુ કિ'નરનુ' જોડલુ' તેના જોવામાં આવ્યું. તેના કંઠની મધુરતા અને જિનેન્દ્ર ભગવાનના પવિત્ર ગીતાવડે અનહદ આનંદના અનુભવ કરતા વીરાંગદરાજા ક્ષણમાત્ર નિપ્ă સમાન સ્થિર થઈ ગયા. પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે; પ્રભુ સંબધી ગીત અને વાદિત્રમાં અનંત પુણ્ય થાય છે. એ શ્રુતિ ખરેખર સત્ય છે, જેથી પેાતાનું અને બીજા શ્રોતાઓનું પણ મન સ્થિર થાય છે. ત્યારપછી વીરાંગદરાજાએ પેાતાના અંગનાં આભરણે। વડે તે કિનરના જોડલાને અલંકૃત કરી હાલમાં શ્રીપાર્શ્વ પ્રભુ કયાં વિરાજે છે ? એમ પૂછ્યું, ત્યારે કનર ખેલ્યા. હે દેવ ! આ આપના નગરથી સેાલ ચેાજન દૂર શ્રીપાર્શ્વ પ્રભુ ચરણ કમળવર્ડ ભૂમિને પવિત્ર કરતા વિચરે છે. ફરીથી વીરાંગઢ વિચારવા લાગ્યુંા. અહા ! તે દેશ ધન્યવાદને લાયક છે, કે જેની અંદર અશ્વસેન રાજાના પુત્ર શ્રીપાર્શ્વનાથ ભગવાન પાતે જગમ તીથ રૂપ વિરાજે છે. વળી જેઆ સભામાં બેસીને ભગવાનના વ્યાખ્યાનરૂપ અમૃતરસનું તૃપ્તિ પ``ત પાન કરે છે, તે મનુષ્યા પણ શુદ્ધમનવાળા દેવ સમાન થાય છે. રાજ્યશ્રીરૂપ મદિરાના પાનથી મત્તની માફક હું હમેશાં પેાતાને પણ આળખતા નથી, તા પ્રભુ નમનની ઈચ્છાની તા વાત જ શી ? માટે હું પાતે ત્યાં જાઉ... અને તેમની સેવારૂપ રસ વડે અતિક્ષીણ થયેલા પેાતાના પુણ્ય શરીરને હાલમાં પુષ્ટ કરૂ. પ્રભુદર્શન મંત્રીઓને રાજ્યકાય સાંપી સૈન્યસહિત વીરાંગદ નરેશ સુમિત્રને સાથે લઇ શ્રીપાશ્વનાથભગવાનના દર્શન માટે નીકળ્યેા.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy