SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭–૪. અગ્નિશમાં. દુર્ભાગી બ્રાહ્મણનું નામ, જ્યાં ત્યાં અગ્નિશમાં જ સંભળાય છે. ૮૮-૨૨. વીચિતરંગ ન્યાયે. જળને વિષે એક મોજું બીજાને ધક્કો મારે છે, બીજું ત્રીજાને ધકેલે છે અને એ પ્રમાણે દૂર દૂર સુધી જળકલ્લોલ પહોંચી જાય છે એમ. હાલના વિજ્ઞાનની-વિદ્યુતની પ્રગતિના જમાનામાં તો સાબીત પણ થયું છે કે જળનાં જ મોજાં કે કલ્લોલોની જેમ હવાના અને અવાજના કલ્લોલો (waves of air and sound) ધક્કેલાઈ ધક્કેલાઈને અલ્પકાળમાં એટલે દૂર દૂર જાય છે કે સાધારણ બુદ્ધિવાળાને એ વાત ગળે જ ન ઉતરે. ૮૯–૯. ઋક્ષ (ભક્તિ) લૂખી; કંઈ લેવું દેવું ન પડે એવી; વણિક્ મિત્રની તાળી જેવી. ૮૯-૧૦. રાજપિંડ...ઈત્યાદિ. સાધુઓને રાજાના ઘરનો પિંડ (આહાર વગેરે) અગ્રાહ્ય છે. એનાં કારણો વિસ્તાર સહિત આચારાંગ સૂત્રના અધ્યાયમાં બતાવ્યાં છે. ૮૯–૧૪. માસક્ષપણ. મહિનાના ઉપવાસ. ૮૯-૧૬. શિરોબાધા. માથાનો દુ:ખાવો. ૮૯-૨૦. અભિગ્રહ નિયમ ગ્રહણ કરવો. ૮૯-૨૨. આ લોકો ક્ષુધા કેવી રીતે...ઈત્યાદિ. અહિં આ (નીચે રહેલા) નારકીના જીવો ક્ષુધા કેમ સહન કરતા હશે એ જોવા, જાણવા ઈચ્છતો હોયની એમ અધોમુખ મુદ્રિકા ધારણ કરી રહ્યો” એમ જોઈએ. ૯૧-૧૨. બાળ તપસ્વી. અજ્ઞાન તપસ્વી; (લાભાલાભ) સમજ્યા વિના તપશ્ચર્યા કરનાર. ૯૧-૧૬. અલ્પકિ. અલ્પ સમૃધ્ધિવાળો ૯૧-૨૧. લેશ્યા. મનોવૃત્તિ. ૯૩-૪. અપવાદ ઉત્સર્ગ કરતાં બળવાન છે. ઉત્સર્ગસામાન્ય નિયમ. અપવાદ-વિશિષ્ટ નિયમ. અપવાદ્વૈરિવોત્સા: તવ્યાવૃત્તય: પરે: કુમારસંભવ સર્ગ. ૨. શ્લોક ૨૭, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૭૦
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy