SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસોને એના પર ક્રોધ થયો; (કારણ કે, કયા અવિવેકીને ગુણવાન તરફ મત્સર નથી થતો ? મુનિએ અતિશય કોમળ વાણીથી તાપસીને કહ્યું-તમે આ ધર્મને મિથ્યાજ્ઞાન વડે પ્રકલ્પો છો. (ધર્મ શું છે એનું તમને જ્ઞાન નથી) આહાર વિના આ દેહ ટકી શકતો નથી એ વાત તો સત્ય છે પરંતુ એ આહાર ધાન્યનો હોય તેજ સારો છે. સર્વ સાવધનો જેમણે ત્યાગ કર્યો છે એવા યતિઓને, સચિત્ત આહાર અથવા તો ગૃહસ્થોએ એમને અર્થે પ્રાસુક કરેલો હોય એવો પણ, કલ્પતો નથી; તો આ કાચું માંસ પકાવો છો તેમાં અને પકાવ્યા પછીનામાં પણ અનન્ત જીવ ઉત્પન્ન થાય છે એવા. માંસની વાત જ શી કરવી ? એક હતિ એ સારો-એવો જે તમારો અભિપ્રાય છે તે પણ યુક્ત નથી; કારણ કે પંચેન્દ્રિય જીવનું ચૈતન્ય ગુરુ હોય છે અને એકેન્દ્રિયોનું ચૈતન્ય તો સ્વલ્પ હોય છે. આવી આવી યુક્તિ વડે આÁકમુનિએ એ તાપસોને સધ પ્રતિબોધ પમાડ્યો; અને એમને શ્રી મહાવીર ભગવંતના સમવસરણમાં મોકલ્યા. ત્યાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી. એવામાં હસ્તિના મોક્ષની અને તાપસોના પ્રતિબોધની વાત સાંભળી શ્રેણિકરાજા અભયકુમારને લઈને આÁકમુનિ પાસે આવ્યો; અને એમને સહપરિવાર વંદન કર્યું. મુનિએ પણ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનારો. એવો ધર્મલાભ દીધો. રાજાએ પૂછ્યું-હે મુનિ ! શૈલેશીકરણથી જેમ અયોગી એવા મુનીંદ્રનો તેમ, તમારા દર્શનથી આ હસ્તિનો મોક્ષ થયો. એ ચિત્રથી, ભીંતની પેઠે મારું મન પુરાઈ ગયું છે. એ સાંભળી સરલ દયવાળા મુનિએ કહ્યું- હે રાજન ! એ હસ્તિનો મોક્ષ થયો (છૂટ્યો) એમાં કંઈ દુષ્કર નથી; તરાકથી કાંતેલા સૂતરના બંધનમાંથી છુટવું એજ દુષ્કર છે, એ સાંભળીને વિસ્મય પામેલા શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો-હે ભગવદ્ ! આ તરાકના સુતરની વળી શી વાત છે (એ તો કહો). મહર્ષિએ, એ પરથી ભવ્યજીવોને સ્વર્ગ અને મોક્ષ સુદ્ધાં પ્રાપ્ત કરવામાં ૧. ચિત્ર (૧) છબી (૨) વિચિત્રતા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો) ૨૨૧
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy