SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જ જણાય કે જો (ચંદ્ર) એના મુખની તદ્દન પાસે આવીને પોતાની કળા બતાવે; અન્યથા તો (શરમાઈને દૂર જતો રહ્યો છે એટલે) ત્યાં રહ્યો રહ્યો ભલે મુખવિકાસ કર્યા કરે ? એમ એનાં બીજા પણ અવયવો લોકોના ચિત્તને પ્રીતિ ઉપજાવનારા હતા; અથવા તો મોદકનું તો સઘળું ચે મિષ્ટ જ છે. હવે આવી યૌવનમાં આવેલી શ્રીમતીને પરણવાને, પદ્મિનીની પાસે જેમ ભ્રમરો તેમ એની પાસે અનેક સુંદર વર આવતા. તે વખતે એનો પિતા કહેતો કે-હે પુત્રી ! ઘણા ઘણા ઉત્તમ વરનાં ભાગમાં આવે છે માટે તું એમાંના કોઈને કબુલ રાખ. ત્યારે શ્રીમતી પણ કહેતી જેહે પિતા ! હું તો સાક્ષાત નિધાન જેવા કે ભટ્ટારક (સાધુ) દેવમંદિરને વિષે આવ્યા હતા તેને જ વરી ચૂકી છું. વળી એ વખતે એ મારાં કાર્યથી પ્રસન્ન થયેલી દેવીએ વરણાના રનની વૃષ્ટિ કરી હતી તેથી તે (કાર્ય) દેવની પણ સાક્ષિએ થયેલું છે. વળી હે તાત ! આપ પણ એ રત્નો લઈ આવ્યા તેથી આપની પણ એમાં ખરી સંમતિ થયેલી છે; એમાં જરાએ વાણીનો વ્યાપાર (મોઢાની વાતો) નથી. માટે સર્વ લોકની સાક્ષીએ મારો આ પ્રમાણે તેની સાથે પ્રકલ્પ કર્યા પછી મને બીજા સુરેન્દ્ર સમાન વરને પણ આપવી યોગ્ય નથી. કારણ કે આપે શું “સત્પરષો વચનની પેઠે કન્યા પણ એક જ વાર આપે છે એવું જે સર્વ લોકો કહે છે તે નથી સાંભળ્યું? પુત્રીનાં આવાં બુદ્ધિવાળાં વચનો સાંભળીને દેવદત્તને કહેવું પડ્યું કે-હે બાળા ! તું જાણે બૃહસ્પતિની જ પુત્રી હોય નહીં એમ મહાપંડિતા છો. પણ એ મુનિ ક્યાં હશે તે આપણે જાણતા નથી, કારણ કે જાણે ચરણે ભમરા હોય નહીં એમ એ મુનિજનો એક સ્થળે પગવાળીને બેસતા નથી. એ તારા અભિષ્ટ મુનિ આવશે કે નહીં, તે પણ કહેવાય નહીં; છતાં વળી દૈવયોગે અહીં આવી ચડશે તો તે ૧. બગાસાં ખાધા કરે. ભાવાર્થ એવો છે કે ચંદ્રમા પણ તેના મુખ સૌંદર્યથી લજવાઈ જઈ દૂર જતો રહ્યો છે, અહીં આવી શકતો નથી, ત્યાં બેઠો બેઠો બગાસાં ખાય છે.' ૨૧૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy