SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણકમળની સેવા કરતો છતો, સૂર્યની સંગાથે બુધ ગ્રહની જેમ તેમની સંગાથે વિહાર કરીશ ? એ પ્રમાણે ચિંતવન કરતો પુનઃ નિદ્રા લઈ વખત થયે તેનો ત્યાગ કરી, ઊઠીને પૂર્વ પ્રમાણે પ્રવૃત્તિ કરતો. કારણ કે વિચક્ષણ પુરુષ કદાપિ વૃથા ભમતો ફરે ખરો ? આ પ્રમાણે અભયકુમાર નિત્ય હર્ષસહિત અનુષ્ઠાન કરતો; કારણ કે દિવસપતિ સૂર્ય શું કદિ પણ ઉદય પામ્યા વગર રહે છે ? વળી તે, રોગીના દેહને ઉત્તમ ઔષધિથી વૈદ્ય શુદ્ધ કરે છે તેમ, પોતાના આત્માને યથાયોગ્ય રીતે ધર્મકાર્ય કરીને શુદ્ધ કરતો; પોતાની પટ્ટરાણીસુસેનાંગજા સાથે પ્રમોદ સહિત નાના પ્રકારના વિનોદ પણ કરતો. એમ ઉત્સાહ-મંત્ર-અને પ્રભુશક્તિની પેઠે પરસ્પર શત્રુભાવરહિત એવા ધર્મઅર્થ-અને કામને યોગ્ય સમયે પ્રયોજીને બુદ્ધિશાળી અભયકુમાર અત્યંત વિરાજવા લાગ્યો. ૧૫૨ શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો ત્રીજો સર્ગ સમાપ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy