________________
જેવી સ્કૂલના થાય છે તેવી જ મોક્ષમાર્ગને વિષે પ્રવૃત્ત એવા મનુષ્યોની સ્કૂલના પણ છે. તે દિવસે દીક્ષિત થયેલા આ મેઘકુમારને જે આવો સંકલેશ થયો તે જાણે નૂતનગૃહને વિષે અગ્નિ ઉત્પન્ન થયો હોય
નહીં !
પછી પ્રભાતે સર્વ સાધુઓની સંગાથે મેઘકુમાર પણ સમવસરણને વિષે ભગવંતને વંદન કરીને યથાસ્થાને બેઠો. એટલે શ્રી જિનેશ્વરે તેને કહ્યું-હે મેઘકુમાર ! તારા ચિત્તને વિષે જે સંકલેશ થયો છે તે આમ્રવૃક્ષમાંથી કટુફળની ઉત્પત્તિ જેવું થયું છે. તારા જેવા વિવેકીના વ્રતનો ત્યાગ કરવાના પરિણામ યુક્ત નથી; કારણ કે ચંદ્રમા થકી અગ્નિનો વરસાદ કદિ સંભવે નહીં. ઉત્તમ સાધુઓના ચરણના સંઘટ્ટથી થયેલી વ્યથા કોણમાત્ર છે ? તેં પૂર્વે હસ્તિના ભવને વિષે જે મહાવ્યથા સહન કરી હતી તેનું જ્યારે તને સ્મરણ થશે ત્યારે તો તું એથી પણ અધિક સહન કરીશ.
(એમ કહીને પ્રભુ એનો પૂર્વભવ કહે છે) આજ ભારતવર્ષને વિષે વૈતાઢ્ય પર્વતની સમીપની ભૂમિને વિષે ત્રીજા ભવ ઉપર તું એક શ્રેષ્ઠ હસ્તિ હતો. એક સહસ્ર હસ્તિનો અધિપતિ હોઈ રાજ્યના સાત અંગોને વિષે પ્રતિષ્ઠિત એવો તું વનચરોએ આપેલા “સુમેરૂપ્રભ' એવા નામને ધારણ કરતો હતો. ત્યાં તું વળી અરણ્યો-કુંજ-નદીઓ-તળાવડી પ્રમુખને વિષે હાથણી અને બચ્ચાંઓની સાથે નાના પ્રકારની ક્રીડા કરતો હતો. રાણીઓની સાથે જેમ રાજાને, તેમ હાથણીઓની સંગાથે તને રતિવિલાસ ભોગવતા કેટલાક દિવસ વ્યતીત થયા. એવામાં એકદા યમના જેવો દારૂણ ગ્રીખ સમય આવ્યો. જળ ઊંડા જવા લાગ્યા અને દાહ ઉદય પામવા લાગ્યો. એ વખતે એ ગ્રીષ્મઋતુની સાથે મૈત્રીભાવ ધરાવતો. તાપ પણ જાણે એને લીધે જ વૃદ્ધિ પામવા લાગ્યો. વળી તાપની સાથે મદોન્મત્ત વાયુ પણ પ્રચંડપણે કુંકાવા લાગ્યો. એ પ્રચંડવાયુએ ઉડાડેલી
૧. સ્વામી-અમાત્ય-સુહૃ–કોશ-રાષ્ટ્ર-દુર્ગ અને સૈન્ય-એ સાત રાજ્યના અંગો કહેવાય છે.
૧૪૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)