________________
૧૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ
અને હે રાજા ! પ્રાપ્ત થયેલા વિષયોથી પણ જે તૃપ્તિ નથી, પરમાર્થથી વિદ્વાનો વડે તે ભૂખ્યા કહેવાયા છે. ૧૪૬||
શ્લોક ઃ
-:
तया बुभुक्षिताः सर्वे, भुवनोदरचारिणः ।
अमी वराकाः सद्धर्मविकला मूढजन्तवः । ।१४७।।
શ્લોકાર્થ :
તેના વડે=બુભુક્ષા વડે, ક્ષુધાવાળા સર્વ ભુવનના ઉદરમાં રહેનાર આ વરાકો સદ્ધર્મથી વિકલ મૂઢ જીવો છે. ||૧૪૭]I
શ્લોક ઃ
ते हि यद्यपि दृश्यन्ते, तृप्ताः संपूरितोदराः ।
तथापि तत्त्वतो ज्ञेया, बुभुक्षाक्षामितोदराः । । १४८ ।
શ્લોકાર્થ ઃ
જો કે તેઓ ભરાયેલા ઉદરવાળા તૃપ્ત દેખાય છે, તોપણ તત્ત્વથી ક્ષુધાથી ક્ષીણ થયેલા ઉદરવાળા જાણવા. ||૧૪૮ાા
શ્લોક ઃ
साधवस्तु महात्मानः, सदा सन्तोषपोषिताः ।
न पीडितास्तया भूप ! भीमभावबुभुक्षया । । १४९ ।।
શ્લોકાર્થ :
વળી, મહાત્મા એવા સાધુઓ સદા સંતોષથી પોષાયેલા, હે રાજા ! તે ભયંકર ભાવવાળી સુધાથી પીડિત નથી. ।।૧૪૯।।
શ્લોક ઃ
तेन यद्यपि दृश्यन्ते, विरिक्तजठराः परम् ।
तथापि तत्त्वतो ज्ञेयास्ते तृप्ताः स्वस्थमानसाः । । १५०।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી જો કે અત્યંત ખાલી પેટવાળા દેખાય છે=સાધુઓ દેખાય છે, તોપણ તત્ત્વથી તેઓ=સાધુઓ, સ્વસ્થ માનસવાળા તૃપ્ત જાણવા. ||૧૫૦||