________________
૫૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
पश्यता हो विधेः कीदृगस्थानविनियोजनम् ? । स्त्रीरत्नमीदृशं येन, मूर्खेणाऽनेन योजितम् ।। १६ ।।
શ્લોકાર્થ ઃ
જુઓ વિધિનું કેવા પ્રકારનું અસ્થાન વિનિયોજન ? જેના વડે=જે વિધિ વડે, મૂર્ખ એવા આની સાથે-રિપુદારણ સાથે, આવું સ્ત્રીરત્ન યોજન કરાયું. ।।૧૬।।
શ્લોક :
स्तब्धोऽभून्मूर्खभावेन, प्रागेष रिपुदारणः ।
आसाद्येमां पुनर्भार्यां, गर्वेणाऽन्धोऽधुना ह्ययम् ।।१७।।
શ્લોકાર્થ ઃ
પૂર્વમાં જ આ રિપુદારણ મૂર્ખભાવથી સ્તબ્ધ થયેલો. વળી, આ ભાર્યાને પ્રાપ્ત કરીને આ હમણાં ગર્વથી અંધ છે. ।।૧૭।
શ્લોક ઃ
स एव वर्तते न्यायो, लोके यः किल श्रूयते ।
एकं स वानरस्तावद्दष्टोऽन्यद्वृषणेऽलिना ।। १८ ।।
શ્લોકાર્થ ઃ
ખરેખર લોકમાં જે સંભળાય છે તે જ ન્યાય વર્તે છે. એક તે વાનર, વળી બીજું, ગુપ્ત સ્થાનમાં વીંછી વડે કરડાયો. ।।૧૮।ા
શ્લોક ઃ
तदेषा चारुसर्वाङ्गी, सद्भार्या नरसुन्दरी ।
करिणीव खरस्योच्चैर्न योग्याऽस्य मृगेक्षणा ।।१९।।
શ્લોકાર્થ :
તે કારણથી આ સુંદર અંગવાળી સદ્કાર્યા એવી મૃગેક્ષણા નરસુંદરી ગધેડાને હાથિણીની જેમ આને=રિપુદારણને, યોગ્ય નથી. II૧૯||