________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
कलाचार्ये व्यवहारवैपरीत्यम्
શ્લોક :
एवं च वर्तमानस्य, वयस्यद्वययोगतः । कलाग्रहणकालो मे, संप्राप्तः क्रमशोऽन्यदा ।।१३।।
કલાચાર્યને વિશે - વ્યવહારની વિપરીતતા
શ્લોકાર્ચ -
અને આ રીતે બે મિત્રોના યોગથી વર્તતામાન અને મૃષાવાદરૂપ બે મિત્રોના યોગથી વર્તતા, મને ક્રમથી અન્યદા કલાગ્રહણનો કાલ પ્રાપ્ત થયો. ll૧૩ll શ્લોક :
ततस्तातेन संपूज्य, कलाचार्यं विधानतः ।
तस्यापितोऽहं सद्भक्त्या, महानन्दपुरःसरम् ।।१४।। શ્લોકાર્ચ -
તેથી મારો કલાગ્રહણનો કાલ પ્રાપ્ત થયો તેથી, પિતા વડે વિધિથી કલાચાર્યને પૂજીને મહાઆનંદપૂર્વક સદ્ભક્તિથી કલાચાર્ય પ્રત્યે બહુમાનની બુદ્ધિથી, તેને કલાચાર્યને, હું અર્પણ કરાયો. ll૧૪ll શ્લોક :
उक्तश्चाऽहं गुरुः पुत्र! तवाऽयं ज्ञानदायकः ।
अतः पादौ प्रणम्याऽस्य, शिष्यभावं समाचर ।।१५।। શ્લોકાર્ચ -
અને હું કહેવાયો રિપદારણ કહેવાયો. હે પુત્ર ! તારા આ જ્ઞાનદાયક ગુરુ છે. આથી આમના પગોમાં પ્રણામ કરીને શિષ્યભાવ સ્વીકાર કર. ll૧૫ll શ્લોક :
मयोक्तं तात! मुग्धोऽसि, यो मामेवं प्रभाषते ।
वराकः किं विजानीते, नूनमेष ममाऽग्रतः? ।।१६।। શ્લોકાર્ચ -
મારા વડે રિપુકારણ વડે, કહેવાયું. હે તાત! તું મુગ્ધ છો. જે મને આ પ્રમાણે કહે છે ખરેખર, મારી આગળ આ વરાક એવા ગુરુ શું જાણે છે ? II૧૬ll