________________
૩૧૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
निपुणो नीतिमार्गेषु, गाढं निर्व्याजपौरुषः । भेदकः परचित्तानामुपायकरणे पटुः ।।४८३।। विदिताऽशेषवृत्तान्तः, सन्धिविग्रहकारकः ।
વિલ્પવદુતો નોળ, સચિવો નાસ્યમૂર્દેશઃ ૫૪૮૪૫૫ યુમમ્ ।।
શ્લોકાર્ચઃ
નીતિમાર્ગોમાં નિપુણ, ગાઢ નિર્વ્યાજ પૌરુષવાળો=રાજાના કાર્યને કરવામાં ગાઢ પ્રામાણિક પૌરુષવાળો, પરચિત્તોનો ભેદક, ઉપાયના કરણમાં પટુ, જાણ્યો છે અશેષ વૃત્તાંત જેણે એવો, સંધિ અને વિગ્રહનો ફારક, વિકલ્પ બહુલવાળો લોકમાં આના જેવો=વિષયાભિલાષ જેવો, મંત્રી નથી.
||૪૮૩-૪૮૪]]
શ્લોક ઃ
:
किं चात्र बहुनोक्तेन ? तावदेते नरेश्वराः ।
यावदेष महामन्त्री, तन्त्रको राज्यसंहतेः । ।४८५ ।।
શ્લોકાર્થ
અને આમાં વધારે કહેવાથી શું ? ત્યાં સુધી જ આ રાજાઓ છે જ્યાં સુધી આ મહામંત્રી રાજ્ય વ્યવસ્થાનો તંત્રક છે=નિયામક છે. II૪૮૫]]
શ્લોક ઃ
ततः सहर्षः प्रकर्षोऽब्रवीत् - साधु माम! साधु, सुन्दरं निर्णीतं मामेन, न तिलतुषत्रिभागमात्रयाऽपि चलतीदं, एवंविध एवायं विषयाभिलाषो महामन्त्री, नास्त्यत्र सन्देहः,
तथाहि
आकारदर्शनादेव, ते गुणा मम मानसे ।
आदावेव समारूढा, येऽस्य संवर्णितास्त्वया ।।४८६ ।।
શ્લોકાર્થ ઃ
તેથી સહર્ષ પ્રકર્ષ બોલ્યો – સુંદર મામા, સુંદર ! મામા વડે સુંદર નિર્ણય કરાયો. તલના ત્રીજા ભાગ માત્રથી પણ આ ચલાયમાન થતું નથી=તમારું કથન વિપરીત થતું નથી, આવા પ્રકારનો જ આ વિષયાભિલાષ મહામંત્રી છે એમાં સંદેહ નથી.
તે આ પ્રમાણે – તારા વડે આના=વિષયાભિલાષના, જે ગુણો વર્ણન કરાયા, તે ગુણો આકારના દર્શનથી જ આદિમાં જ મારા માનસમાં આરૂઢ થયા. ॥૪૮૬ાર