________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
शैलराजप्रभावजातविकल्पाः
શ્લોક :
ततो दिनेषु गच्छत्सु, मैत्री तेन विवर्धते । तत्प्रभावात्प्रवर्धन्ते, वितर्का मम मानसे ।।३०।।
શૈલરાજના પ્રભાવથી રિપદારણને ઉત્પન્ન થયેલા વિકલ્પો શ્લોકાર્ય :
તેથી દિવસો પસાર થયે છતે તેના પ્રભાવથી શૈલરાજના પ્રભાવથી, મારા માનસમાં વિતર્કો થવા લાગ્યા. Il3oll. શ્લોક :
यथा ममोत्तमा जातिः, कुलं सर्वजनाऽधिकम् ।
बलं भुवनविख्यातं, रूपं भुवनभूषणम् ।।३१।। શ્લોકાર્ધ :
જે આ પ્રમાણે, મારી ઉત્તમ જાતિ છે. સર્વ જનથી અધિક કુલ છે. ભુવનમાં વિખ્યાત એવું બલ છે. ભુવનનું ભૂષણ એવું રૂપ છે. ll૧૧થી શ્લોક :
सौभाग्यं जगदानन्दमैश्वर्यं भुवनातिगम् ।
श्रुतं पूर्वभवाऽभ्यस्तं, परिस्फुरति मेऽग्रतः ।।३२।। શ્લોકાર્ચ -
જગતને આનંદવાળું સૌભાગ્ય છે. ભુવનથી ચઢિયાતું ઐશ્વર્ય છે=ભુવનમાં રહેલા બીજા બધાથી અતિશય એશ્વર્યા છે. પૂર્વભવઅભ્યસ કૃત મારી આગળ ફરાયમાન થાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાનમાં પોતે અતિ નિપુણ છે. ll૩રા શ્લોક :
मघवाऽपि पदं स्वीयं, यद्यहं प्रार्थये ततः ।
ददात्येव न कार्य मे, लाभशक्तिरियं मम ।।३३।। શ્લોકાર્ચ -
ઇંદ્ર પણ પોતાનું પદ જો હું પ્રાર્થના કરું તો આપે જ છે. મને કાર્ય નથી=મને ઈંદ્રપદની સાથે કોઈ કાર્ય નથી. આવી મારી લાભશક્તિ છે. ૩૩