________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ શ્લોક :
इत्थं प्रभूतवृत्तान्तः, परिपाल्य जगत्त्रयम् । वृद्धोऽहमधुना युक्तं, किं ममेति विचिन्त्य च ।।१८।। पार्श्वस्थितोऽपि शक्नोमि, वीर्येण परिरक्षितुम् ।
जगत्तेन स्वपुत्राय, राज्यं यच्छामि साम्प्रतम् ।।१९।। युग्मम् શ્લોકાર્ચ -
આ પ્રકારના વિસ્તારી વૃત્તાંતવાળો જગત્રયનું પરિપાલન કરીને વૃદ્ધ થયેલો હું છું, અને હવે મને શું યુક્ત છે? એ પ્રમાણે વિચારીને પાસમાં રહેલો પણ હું જગતને વીર્યથી પરિરક્ષણ કરવા માટે સમર્થ છું, તે કારણથી હવે પુત્રને રાજ્ય આપું. ll૧૮-૧૯ll શ્લોક :
रागकेसरिणे दत्त्वा, ततो राज्यं विचक्षणः ।
महामोहोऽधुना सोऽयं, शेते निश्चिन्ततां गतः ।।२०।। શ્લોકાર્ધ :
તેથી આ પ્રમાણે મહામોહે વિચાર્યું તેથી, રાગકેસરીને રાજ્ય આપીને હવે તે આ વિચક્ષણ એવો મહામોહ, નિશ્ચિતતાને પામેલો સૂએ છે. ll શ્લોક :
तथापीदं जगत्सर्वं, प्रभावेन महात्मनः ।
तस्यैव वर्त्तते नूनं, कोऽन्यः स्यादस्य पालकः? ।।२१।। શ્લોકાર્ચ -
તોપણ આ જગત સર્વ તે જ મહાત્માના પ્રભાવથી=મહામોહના પ્રભાવથી, ખરેખર વર્તે છે. આનો પાલક-જગતનો પાલક, અન્ય કોણ થાય ? ||૧ શ્લોક :
तदेषोऽद्भुतकर्त्तव्यः, प्रसिद्धोऽपि जगत्त्रये ।
महामोहनरेन्द्रस्ते, कथं प्रष्टव्यतां गतः? ।।२२।। શ્લોકાર્ધ :
તે કારણથી અદભુત કર્તવ્યવાળો, જગતત્રયમાં પ્રસિદ્ધ પણ આ મહામોહ નરેન્દ્ર તારી પ્રષ્ટવ્યતાને=પ્રભાવની પૃચ્છાના વિષયપણાને, કેમ પ્રાપ્ત થયો ? Il૨૨ી